પગરખાં એટલે પગની રક્ષા કરવા માટે પહેરવામાં આવતું એક રંગબેરંગી ને અલગ અલગ ડિઝાઇન ધરાવતું..તેને ચંપલ કહો કે સ્લીપર કહો કે શુઝ કહો બધા જ નામ એક સરખા છે બસ માત્ર તેના આકારો ને સાઇઝ અલગ અલગ હોયછે.
આપણે ઘરની બહાર જયારે નીકળીએ છીએ તો પહેલી એક જ ચીજ યાદ આવતી હોયછે તે છે પગમાં પહેરવામાં આવતા આપણા પગરખાં..તે પહેરીને જ આપણાં પગ ડગલાં માંડે છે..નાગા પગે આપણે બિલકુલ ચાલતા નથી..ઘણા સુખી પરિવાર તો ઘરમાં પણ સ્લીપર જેવું પહેરતા હોયછે..
તેના કારણો અલગ હોયછે..
પગની સુંદરતા માટે પગની રક્ષા માટે પગરખાં પહેરવા જરૂરી છે.
પહેલાં એક સમય હતો કે લોકો પગમાં કંઇ પણ પગરખાં પહેર્યા વગર નિશાળે જતા..ખેતરે જતા..ને ગામમાં પણ ફરતા..તે સમયે એક ચંપલ લેવું બહું કઠીન હતું
ઘણાને એવી ટેવ હતી કે તે પગમાં કંઇપણ ના પહેરે..ને પહેરે તો તેને ગમે નહીં તો ઘણાને એક મજબુરી હતી ખરીદવાની..
આજે તો પગરખાંની કોઇ કિંમત રહી નથી..રોજ નવા નવા પહેરવાના..જાણે કોઇ કપડાના ડ્રેસની જોડી હોય..
પણ હજી ઘણા માણસોના જીવ એવા પણ હોયછે કે જયારે તેઓ મંદિરોમાં જાયછે તો દર્શન કરતી વખતે તેમના મનમાં એક જ ચિંતા સતાવતી હોયછે કે બહાર કાઢેલા મારા ચંપલ બુટ સલામત હશે કે કોઇ નવા જોઇને પહેરી ગયું હશે! એતો હવે બહાર નીકળ્યા પછી ખબર પડે કે તે છે કે નહીં!
ભગવાનના દર્શનમાં પણ બે મિનિટ જીવ રહેતો નથી..!
પણ હા પહેલા સમયમાં એવુ પણ થતું હતું કે લોકો જુના ઘસાઇ ગયેલા ચંપલ બુટ પહેરીને મંદિરે જાય પછી તો તેમના જુના પગરખાં ત્યા જ મુકી દેતા ને કોઇના નવા જ બુટ ચંપલ ઉઠાવી લાવતા..
કોઇ પહેરવા માટે લાવે તો કોઇ વેચવા માટે લાવે..પાપી પેટ કા સવાલ...
પણ પહેરનારા તો આવુ તો તે લોકો જ કરતા કે જે પનોતીઓમાં નથી માનતા..
કહેવાય છે કે કોઇ આપણા પગરખાં લઇ જાય તો આપણી નડતર પનોતી પણ તેઓ સાથે લઇ જાયછે..
સાચુ ખોટું ખબર નહીં પરંતુ આ શબ્દ આપણા દિલ દિમાગમાં પૂર્વજોએ સખ્ત રીતે ઢોકી બેસાડયો છે...જે હાલ પણ આપણે સાચો માનતા આવ્યા છીએ..ને આજે પણ તેને આપણે માનીએ છીએ..
પનોતી..પનોતી..એટલે પનોતી.
બીજા કોઇ ચીજથી પનોતી નથી લાગતી પણ જો કોઇના પગરખાં આપણે પહેરીએ તો બીજાની પનોતી આપણને લાગેછે..
તેનાથી થતી તકલીફો..જેવી કે..
તેની મુશ્કેલીઓ..તેના દુ:ખો..જે કહો તે આપણા માથે કે આપણા નસીબે ચાંટી જાયછે..પછી તો દિવસ પછી દિવસ આપણી ઉપર દુ:ખના વાદળો ઘેરાતા જાયછે..
આ હું નથી કહેતો..પણ લોકો કહેછે..કે આમ સાચે જ થતું હોય છે.
ઘરનાં સભ્યોના પગરખાં પહેરીએ તો આપણને કંઇજ ના થાય પણ બહારની કોઇ વ્યકતીના પહેરીએ તો ચોક્કસ પનોતી આપણને લાગતી હોયછે..
આમાં હવે સત્ય કેટલું છે તે આપણે વિચારવાનું છે...આજના સમય પ્રમાણે..ને આજની ગતિશીલ દુનીયાની નજરે...પણ હા, હું આ નથી માનતો..કારણ કે આપણા નસીબમાં જે કંઇ હશે તે થવાનું જ છે તેને કોઇ બદલી શકતું નથી...કદાચ આપણી સારી ભક્તિ અથવા આપણે લોકો માટે કરેલા સારા કાર્યો...જ
આપણા નસીબને ચમકાવી જાયછે.