🙏જગત કલ્યાણકારી નવકાર મંત્ર🙏
જાણો પહેલા ' ૐ' ની સંધિ અ+અ+આ+ઉ+મ= ૐ બને છે અને આ ઓમકાર માં જ નવકાર મંત્ર સમાયેલ છે. નવકાર મંત્ર મા પંચ મહા પુરુષોને વંદના કરી છે એ પુરુષો ને અરિહંત ,સિદ્ધ , આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-' પંચ પરમેષ્ઠી ' તરીકે વર્ણવેલા છે
શાસ્ત્રો કહે છે- નવકાર મંત્ર નો એક એક અક્ષર સાત સાત સાગરોપમ પાપો નો નાશ કરે છે તેના એક એક પદ વડે પચાસ સાગરોપમ પાપો નો નાશ પામે છે
જૈન ધર્મ-પ્રણાલી પ્રમાણે આ મંત્ર અનાદિમંત્ર ગણાય છે જે પંચ મહા પુરુષોને આ મંત્ર દ્વારા વંદના કરવામાં આવી છે એ પરમ પુરુષો-અરિહંત મતલબ જેને કોઇ પણ દુશ્મન નથી તેવાં ૨૪ તીર્થકંરો ને સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને જૈનેતર પંચપરમેષ્ટિ તરીકે વર્ણવેલા છે
આ મંત્ર દ્વારા કોઈ સંપ્રદાયિક દેવી-દેવતા ઓના વિષેષ નામ નથી પણ આ વૈશ્વિક મંત્ર છે
નવકાર શબ્દ મુળ સંસ્કૃત શબ્દ ' નમસ્કાર ' નુ રૂપાંતર છે સંસ્કૃત શબ્દ ના પાકૃતના બે રૂપો થાય છે એક છે 'નમ્મુકાર' અને બીજો છે 'નોમ્મોકાર'
પાકૃત માં આદિ માં,'ન' વિકલ્પ 'ણ' થાય છે એટલે 'ણમુકકાર' ' ણમોકકાર એવાં રૂપો થાય છે
એક અર્થ " અરિહંત મતલબ જેને, કોઇ પણ દુશ્મન નથી પરંતુ પાકૃત જૈન ભાષા માં "અરિહંત એટલે અર્હત શબ્દ ને "અર્હ " ધાતુ પર થી બનેલ છે "અર્હ" એટલે યોગ્ય હોવુ , પંચપરમપુરુષો યોગ છે
પુજ્ય શ્રી ભદ્રબાહુ સ્વામી તેમના પુસ્તક" આવશ્યક " નિયુક્તિમાં કહે છે :
" અરિહંત વંદણ-નમસંણાઈ અરિહંત પૂયસક્કારં । સિદ્ધિ ગમંણ ચ અરિહા અરિહંતા તેણવમુતિ ।।
જેઓ વંદન ને યોગ્ય છે જેઓ પૂજા-સત્કારને યોગ્ય છે, જે અર્હિત અર્થાત્ અહંત કહેવાય
"નમો" ભાવ અને દ્રવ્ય બને પ્રકારના નમસ્કારો નુ સુચન કરે છે દ્રવ્ય એટલે મસ્તક નમાવવું, હાથ જોડવા ઘૂંટણિયે પડવુ વિગરે વિગરે ભાવ નમસ્કાર એટલે હૈયામાં નમન વિનય નો ભાવ રાખવાથી ઉત્તમ દરેક "ૐ " ભાવ એ મોક્ષ કારક હોય છે તો આ મંત્રનો હેતુ મોક્ષ નો છે,કર્મ નિર્જરા છે
જૈન પરંપરા મુજબ નવકાર ને પંચપરમેષ્ટિ વિધ્યા કહે છે આ તમામ કપાય માંથી મોક્ષ કારક હોય છે
નવકાર મંત્ર અને ૐકાર પુર્ણ મંત્ર હોઈ જગત કલ્યાણકારી છે જે,જીવને પાપોમાંથી, કર્મોમાંથી, કપાય માંથી મુક્ત કરી મોક્ષ તરફ દોરી જાય છે દરેક મંત્ર જે ૐ કે ૐકાર થી શરૂ થાય તે ભવ પાર ઉતારે છે પરંતુ દરેક "ૐ " કે "ૐકાર થી શરૂ થતા મંત્ર માટે આચરણ અગત્યનું છે દરેક ધર્મમાં નિયમાનુસાર જે,તે કર્મ કરવાનુ કહ્યું છે તે દૃઢતા આચરણ કરવુ જોઈએ જેમાં જૈન ધર્મ નિયમ પાળવા પડે,કંદમુળ નહીં ખાવા, ચોવિહાર નુ પાલન કરવુ નવકારશી કરવી વાંચવાની સાથે, કર્મ અને ધર્મ નિયમ પાળવા પડે
જય જૈન જયતિ સાશનમ