Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવરાત્રીમાં હનુમાનજીની પૂજા આપે છે ખાસ ફળ, પૂરી થશે દરેક ઈચ્છા

નવરાત્રીમાં હનુમાનજીની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે માત્ર જય સિયારામ બોલવાથી પણ હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે. આપણા ધર્મશાસ્ત્રમાં તેમની ઉપાસના કરવાની વિધિ વિશે પણ જણાવવામાં આવ્યું છે. જેનાથી તેમના દર્શન કરવાથી મનની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. હનુમાનજી કળયુગનાં સાક્ષાત દેવ છે, તેમની ઉપાસના કરવાથી તમામ સંકટો દૂર થાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હનુમાનજી ભગવાન શિવનો રુદ્રઆવતાર છે. તેમનો જન્મ વાયુદેવનાં અંશ અને અંજનિનાં ગર્ભમાંથી થયો હતો જે કેસરી નામના વાનરની પત્ની હતી. નવરાત્રીમાં મંગળવારે આ વિધિથી હનુમાનજીની પૂજા કરવી.

હનુમાન ચાલીસાનો પાઠ :

હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બધા કાર્યોમાં સફળતા મળે છે. જે વ્યક્તિ દરરોજ હનુમાન ચાલિસા કરે છે, તે હનુમાનજીનો પ્રિય ભક્ત બની જાય છે. તેને કોઈ પણ બંધક બનાવી ન શકે. તેના પર ક્યારે કોઈ પણ પ્રકારનું સંકટ નથી આવતું. ભક્તોએ 108 વખત તુલસી દાસ દ્વારા રચિત હનુમાન ચાલિસાનો પાઠ કરવો જોઈએ. પાઠ શરૂ કરતા પહેલાં રામરક્ષાસ્તોત્રમનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જો એકજ બેઠકમાં 108 વખત હનુમાન ચાલિસા ન થઈ શકે તો તેને બે વખતમાં કરી શકાય છે.

હનુમાનજીની પૂજા કરવાની રીત :

હનુમાનજીની પ્રતિમા પર તેલ અથવા સિંદૂર ચઢાવવું જોઈએ. તેમને ગુલાબ અને ગલગોટાનાં ફૂલ ચઢાવવા જોઈએ. સુંદરકાંડ અથવા રામાયણનો પાઠ કરવાથી હનુમાનજી તરત પ્રસન્ન થાય છે. પ્રસાદનાં રૂપમાં ચણા, ગોળ, કેળા, અના લાડવા અર્પણ કરવા. હનુમાનજીને લાલ ફૂલ પ્રિય છે. પૂજાનાં અંતમાં લાલ ફૂલ ચઢાવવા જોઈએ. મૂર્તિને જળ અથવા પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી સિંદૂરને તેલમાં મિક્સ કરીને લગાવવું. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. તેમજ હંમેશા હનુમાનજીની પૂજા પૂર્વ દિશાની તરફ મોઢું રાખીને કરવી જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111368778
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now