એક જ મંદિરમાં થાય છે હનુમાનજી અને શનિદેવની પ્રતિમાની સ્થાપના જાણીલો શું છે રહસ્ય?
શનિવારનો દિવસ એટલે સામાન્ય રીતે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનો દિવસ સાથે સાથે શનિદેવની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને હનુમાનજીની તેમના પર કૃપા થાય છે.
આપણે જોઈએ છીએ કે જે પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં શનિદેવની પ્રતિમા જરૂર હોય છે. આપણા મનમાં સવાલ ઉઠે કે શનિદેવ અને હનુમાનજીની પ્રતિમા એક જ મંદિરમાં રાખી શકાય? હનુમાનજી અને શનિદેવ વચ્ચે ક્યો સંબંધ છે. આજે આપણે વિસ્તારથી જાણીએ.
પૌરાણિક કથા અનુસાર એક વખત હનુમાનજી કોઈ કાર્યમાં વ્યસ્ત હતા. એ સમયે શનિદેવ ત્યાંથી પસાર થયા. શનિદેવને રસ્તામાં હનુમાનજી દેખાયા, શનિદેવને મસ્તી સુઝી તેમણે તેમના કાર્યમાં વિધ્ન નાંખવા હનુમાનજીની પાસે પહોંચી ગયા.
હનુમાનજીએ શનિદેવને તેમની પુંછડીથી ઝકડી લીધા. અને પછી તેમના કાર્યમાં વ્યસ્ત થયા. આ દરમિયાન શનિદેવને ખુબજ ઇજા પહોંચી. કામ સમાપ્ત થતા હનુમાનજીને શનિદેવનો વિચાર આવ્યો અને શનિદેવને આઝાડ કર્યા.
ત્યારબાદ શનિદેવે હનુમાનજી પાસે સરસવનું તેલ માંગ્યુ, હનુમાનજીએ સરસવનું તેલ આપ્યુ શનિદેવ સાજા થઈ ગયા. શનિદેવે ત્યારથી કહ્યું જે ભક્ત શનિવારે તેલ ચડાવે તેમના પર વિશેષ કૃપા થશે. ત્યારથી દરેક મંદિરમાં શનિદેવની સ્થાપના થાય છે.