અકાળ મૃત્યુ ટાળવા ભોલેનાથને અર્પણ કરો આ વસ્તુઓ, જીવન ખુશીઓથી છલકાશે
ભોલેનાથ મૃત્યુના દેવતા કહેવાય છે જે પણ ભોલેનાથનું સ્મરણ કરે તેના તમામ કાર્ય સિદ્ધ થાય છે. ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે, અને તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ કેટલીક જગ્યાએ કરવામાં આવ્યો છે. ભગવાન શિવને ખુશ કરવા માટે તેમના ભક્તો તેમને બિલીપત્ર અર્પણ કરવાનું ભુલતા નથી. પણ બિલીપત્ર સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે જે ભગવાન શિવને ખૂબ જ ગમે છે. આવો જાણીએ એવી કઈ-કઈ વસ્તુઓ છે જેને અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
ભાંગ:
ભગવાનને બિલીપત્ર પછી ભાંગ સૌથી વધારે ગમે છે. ભાંગના પાંદડા અથવા શરબત અર્પણ કરવાથી ભગવાન શિવ ખૂબ જ ખુશ થાય છે. કારણ કે, ભાંગ એક ઔષધિ છે. એવું માનવામાં આવે છે જ્યારે ભગવાન શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે તેના ઉપચાર માટે ભાંગના પાંદડાના ઉપયોગ કરાયા હતા.
ધતૂરો:
ધતૂરાના ફળ અને પાંદડાનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, ભગવાન શિવને ધતૂરો ખૂબ જ પ્રિય છે. તેમને ધતૂરો અર્પણ કરવાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે
.
આંકડા:
આંકડાના ફળ અને પાંદડા બન્ને ભગવાન શિવને ખૂબ જ પસંદ છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરે છે, ભગવાન તેમના માનસિક અને શારીરિક બન્ને પ્રકારના કષ્ટોને દૂર કરી દે છે. ભગવાન શિવને આંકડા અર્પણ કરે છે ભગવાન તેની ગરીબી દૂર કરે છે.
દૂર્વા:
દૂર્વા એટલે ઘાસ, પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે, તેની અંદર અમૃત રહેલું છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશને દૂર્વા ખૂબ જ ગમે છે. ભગવાન શિવને દૂર્વા અર્પણ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.