પ્રેમ, લગ્ન અને કેરિયરમાં સફળતા લાવવામાં મદદ કરે છે ફિરોઝા
ફિરોઝાને અંગ્રેજીમાં ટરક્વાઇશ કહેવામાં આવે છે. આ ઘાટા વાદળી રંગનું રત્ન છે. ફિરોઝા ગુરૂ ગ્રહનું રત્ન હોય છે. આ રત્ન રાહુ-કેતુને શાંત કરે છે. આ રત્ન ધારણ કરવાથી દગો થતો નથી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમજ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ રત્નને ધનનાં પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે અને તેને જલદી ઇલાજ માટે પણ સારું માનવામાં આવે છે.
ફિરોઝા રત્ન તમારામાં આત્મ-સમ્માન અને વિશ્વાસ વધારે છે. તે માંસપેશિયોની શક્તિમાં વધારો કરે છે અને ખરાબ દુરાત્માઓથી તમને બચાવે છે. ફિરોઝાને સહાનુભૂતિનાં ઉપચાર માટેનું રત્ન પણ કહેવામાં આવે છે. આ રત્ન પહેરનારમાં સંવેદનશીલતા અને વિચાર શક્તિમાં સુધારો થાય છે. આ રત્ન દુર્ભાગ્યને સમાપ્ત કરીને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને આ કારણે જાતકને સારુ સ્વાસ્થ્ય, ધન, જ્ઞાન, પ્રસિદ્ધિ અને તાકાત મળે છે. ફિરોઝા રત્ન પહેરવાથી વ્યક્તિત્વમાં આકર્ષણ આવે છે અને રચનાત્મક શૈલી સુધરે છે.
લગ્ન ના થતા હોય તેવા લોકો આ રત્ન ધારણ કરી શકે છે. કોઇને પ્રેમ કરતા હોય અને તેને સમાજમાં લાવવા માંગતા હો તો આ રત્ન પહેરવું જોઇએ. પ્રેમ સંબંધો માટે આ રત્ન ઘણું પ્રભાવી છે. કેરિયરમાં સફળતા માટે અને જે લોકો રચનાત્મક છે તેમણે આ રત્ન ધારણ કરવું જોઇએ.
દરેક રાશિનાં લોકો ફિરોઝા ધારણ કરી શકે છે. ફિલ્મી કલાકારો, વ્યવસાયી લોકો તેમજ આર્કિટેક્ચર અને એન્જીનિયર પણ આ રત્ન પહેરી શકે છે. ફિરોઝા રત્ન ગુરૂવારનાં દિવસે પહેરવું જોઇએ. સ્નાન કર્યા પછી અંગૂઠી ધારણ કરવી જોઇએ. આ પહેલા અંગૂઠીને કાચા દૂધ અને ગંગાજળમાં ડૂબાડી રાખવી જોઇએ જેથી તે શુદ્ધ થઇ જાય. ફિરોઝા ધારણ કરવાનો સૌથી સારો દિવસ શુક્રવાર છે. તમે ઇચ્છો તો ગુરૂવાર અને શનિવારે પણ આ રત્ન ધારણ કરી શકો છો. સવારનાં 6 વાગ્યાથી 8 વાગ્યાનો સમય ફિરોઝા ધારણ કરવાનો શ્રેષ્ઠ સમય છે.