Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાલિગ્રામની પૂજા કરવાથી ઘરમાં સદૈવ રહેશે મા લક્ષ્મીનો વાસ, ધનમાં થશે વધારો

તમે દરેક લોકો જાણતા હશો કે શૈવ સંસ્કૃતિમાં વર્ણિત કથા અનુસાર શિવ ભગવાન જ્યાંથી પસાર થયા ત્યાં તેમના પગમાં નીચે આવનાર દરેક પથ્થર અને કાંકરા જેની પર તેમની કૃપા થઇ. તે વિક્સિત થવા લાગ્યા અને તેના વિકાસમાં એક આખો યુગ લાગ્યો જે બાદમાં શાલિગ્રામ કહેવાયા. શાલિગ્રામને ઘરમાં રાખવા ખૂબ જરૂરી હોય છે. તમે રોજ તેની કોઇપણ ભૂલ વગર પૂજા-અર્ચના કરો. તેનાથી લાભ થાય છે. જો તેમની યોગ્ય રીતે પૂજા કરવામાં ન આવે તો નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે.

આમ તો શાલીગ્રામ મળવા મુશ્કેલ છે. પરંતુ તેમા કાળા અને ભૂરા શાલિગ્રામ સિવાય સફેદ, વાદળી અને જ્યોતિયુક્ત શાલિગ્રામ મળવા વધારે દુર્લભ છે. પૂર્ણ શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુના ચક્રની આકૃતિ અંકિત હોય છે.

તમને જણાવી દઇએ કે જે ઘરમાં શાલિગ્રામનું પૂજન થાય છે તે ઘરમાં મા લક્ષ્મીનો સદૈવ વાસ રહે છે. શાલિગ્રામ સાત્વિકતાનું પ્રતીક છે અને તેની પૂજા કરવાથી આગળના તેમજ દરેક જન્મોના પાપ નષ્ટ થઇ જાય છે.

જો ઘરમાં શાલિગ્રામ રાખો છો તો તમારા ઘરમાં એક ખાસ પ્રકારનું પવિત્ર વાતાવરણ બને છે. કોઇ મંદિર જેવું પવિત્ર વાતાવરણ થઇ જાય છે. શાલિગ્રામને ઘરમાં રાખતા પહેલા કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઇએ.

– ઘરમાં માત્ર એકજ શાલિગ્રામની પૂજા કરવી જોઇએ.

– શાલિગ્રામ પર ચંદન લગાલીને તેની પર તુલસીનું એ પાન અવશ્ય રાખવું જોઇએ.

– રોજ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઇએ.

– શાલિગ્રામની પૂજામાં આચાર-વિચારની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111439301
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now