આજે પણ રહસ્યમયી છે કૈલાશ પર્વત, શું અદૃશ્ય શક્તિઓ રોકે છે રસ્તો?
ભોળેનાથનું સમાધિ સ્થાન એટલે કૈલાશ માનસરોવર યાત્રા. કહેવાય છે કે સારે તીરથ એક તરફ, કૈલાશ યાત્રા એક બાર. ભગવાન શિવના તમામ ભક્તોની ઇચ્છા હોય છે કે અંતિમ શ્વાસ પહેલા એકવાર કૈલાશ માનસરોવર યાત્રા જરૂર કરે. આ યાત્રા ખુબજ કઠિન છે. જેને કરવી સરળ નથી.
કૈલાશ પર્વત પર ભગવાન શંકરે સમાધિ લગાવી હતી
પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યુ છે કે કૈલાશ પર્વત પર જ ભગવાન શંકરે સમાધિ લગાવી હતી.
આજે પણ રહસ્યમયી છે કૈલાશ પર્વત
કહેવાય છે કે આજ સુધીમાં કોઈ મનુષ્ય કૈલાશ પર્વત પર ચડી નથી શક્યુ. જેણે પણ કૈલાશ પર્વત પર ચડવાનો પ્રયત્ન કર્યો તેનું મૃત્યુ થયુ. આ પર્વતને લઈને કેટલીયે લોકવાયકાઓ અને દંતકથાઓ વહેતી થઈ છે.
ૐનું પ્રતિબિંબ દેખાય છે
કૈલાશ પર્વતને લઈને કેટલીક રહસ્યમયી વાતો કહેવામાં આવી છે. એક પર્વતારોહીએ પોતાના પુસ્તકમાં લખ્યુ હતુ કે આ પર્વત પર રહેવુ અસંભવ છે. કોઈ અજાણ્યા કારણે દિશા ભ્રમ થાય છે દિશાનું ભાન નથી રેહતુ અને ભટકી જવાય છે. ત્યાં ચુંબકીય કંપાસ પણ કામ નથી કરતો. શરીરના વાળ અને નખ ખુબજ ઝડપથી વધવા લાગે છે. આ જગ્યા પર ખુબજ રેડિયો એક્ટિવ છે. આ પર્વતનો આકાર અને તેના પર જે બરફ જામેલો છે તે ૐ આકારનો જોવા મળે છે. કહેવાય છે કે અહીં અદૃશ્ય શક્તિઓ રસ્તો રોકી લેતી હોય છે અને આગલ વધતા અટકાવે છે.