ગુરૂ બૃહસ્પતિનું સ્મરણ કરી કરો આ ઉપાય, મહાલક્ષ્મીની કૃપા ઉતરશે
ગમે તેટલી મહેનત છતા સફળતા ન મળે તો કેટલાક શાસ્ત્રોક્ત ઉપયોગ કરો તેનાથી તમને ધન ધાન્ય પ્રાપ્ત થશે. ઐશ્વર્ય મેળવવા ગુરૂવારના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી થશે ફાયદો. ગુરૂવાર દેવોના ગુરૂ બૃહસ્પતિનુ વર્ચસ્વ સ્થાપિત છે. પોતાના ગુરૂના બતાવેલ માર્ગ પર ચાલીને દેવોએ અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત કરી સ્વર્ગનુ સામ્રાજ્ય ભોગવ્યુ.
ગુરૂવારનો દિવસ દેવ ગુરૂને ખૂબ પ્રિય છે. તેથી તમે પણ તેને પ્રસન્ન કરી ધનવાન બની શકો છો. ગુરૂવારના દિવસે કરો આ કામ તમારા જીવનની બધી પ્રતિકૂળ સ્થિતિનો થશે નાશ અને અનુકૂળતાની થશે શરૂઆત.
સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો. સ્નાન કરવાની બાલદીમાં એક ચપટી હળદર નાખી દો. પીળા વસ્ત્ર પહેરો. ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા કેસરનુ તિલક લગાવો. હવે કેળાના વૃક્ષને જળ અર્પિત કરી સરસવના તેલનો દીપક અર્પિત કરી ગોળનો ભોગ લગાવો. ત્યા જ આસન પાથરીને બેસી જાવ અને વિષ્ણું સહસ્ત્રનામનો પાઠ કરો.
શિવ મંદિરમાં જઈને તેમને બેસનના લાડુઓનો ભોગ લગાવો. સુખડીનો પ્રસાદ જેને રૂદ્રી કહેવાય છે તે ભોલેનાથને ખુબજ પ્રિય છે. તે ધરાવી રમતા બાળકોને ખવડાવો. હળદરની માળાથી ૐ બૃં બૃહસ્પતયે નમ: મંત્રનો જાપ કરો.
પીળી ગાંઠવાળી હળદરને પીળા દોરથી પિરોવીને ગળા અથવા હાથમાં ધારણ કરો. પીળી હળદર ખાવાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે સાથે જ આ તમારી કિસ્મત પણ ચમકાવી શકે છે.
ગુરૂવારના દિવસે કરો આ પ્રયોગ…
લાલ રંગની ગાયને ગોળ ખવડાવો. ગુરૂવારે બૃહસ્પતિ દેવનુ વ્રત કરવાથી ઘરમાં હંમેશા સુખ સંપત્તિ ભરપૂર રહે છે. ચણાની દાળ ખાઈને પછી જ ભોજનની શરૂઆત કરો. આવુ કરવાથી ભગવાન બૃહસ્પતિની કૃપા ઉતરશે. તુલસી ક્યારે દીવો પ્રગટાવી ધ્યાન ધરો જે માગશો તે મળશે. પ્રાર્થનામાં અલૌકિક તાકાત રહેલી છે. પ્રભુને હંમેશા બીજાના સારા માટેની પ્રાર્થના કરવી જોઈએ. પીળા વસ્ત્રોનું દાન કરો. ચણાની વસ્તુઓ બનાવીને તેનું દાન કરો. ભોલેનાથને જળ ચડાવો. બને તેટલી પૂજા કરો.