ફાધર્સ ડે કે મધર્સ ડે હોય ત્યારે ઘણાં જણ એવું કહેવા વાળા પણ હોય છે કે ફાધર કે મધર ડે ના હોય એમના પ્રત્યેનો પ્રેમ કોઇ એક દિવસમાં બાંધી ના શકાય. સાચી વાત.. એમનો પ્રેમ કોઇ એક દિવસમાં દર્શાવી શકાય એવો નથી હોતો પરંતુ આ ડે ના બહાના હેઠળ આપણે એમના પ્રેમ માટે કૃતજ્ઞતા તો દાખવી શકીએ છીએ. કાયમ માટે દાખવીએ તો તો અલગ વાત છે પરંતુ એવું કદાચ ભાગ્યે જ કોઇ કરતું હશે, આ એક દિવસે આપણે એમના તરફથી મળતા કે મળેલા પ્રેમ માટે એમને ધન્યવાદ કહીએ છીએ તો આ ડે ઉજવવામાં કંઇ ખોટું નથી. દરેક બાબતમાં પશ્ચિમી સંસ્કૃતિ ખોટી જ છે એવું ના માની શકાય..!!
- પંકજ ગોસ્વામી