પડોશીઓ સાથે જયારે આપણો સંબંધ બગડે છે ને ત્યારે આપણને આપણા જ ઘરમાં રહેવું ભારે પડેછે! એ વાત કયારેય ખોટી પડી નથી તેમ ભારતના પડોશી દેશો જ હવે ભારતના દુશ્મનો બનવા લાગ્યા છે! ચીન, નેપાળ, પાકિસ્તાન, ને બાંગ્લાદેશ, જે ભારતના પડોશી દેશો છે જે આજકાલ ભારતની સામે જ આંગળીઓ તાકે છે આ બધામાં જ પેલું લુચ્ચુ શિયાળ એટલે ચીન જ બધાને જાત જાતનું શીખવાડે છે કે ભારત સામે તમે આમ કરો તો મળશે ને તેમ કરો તો તમને મળશે આ બધા જ પડોશી દેશો ભારત પાસે પોતાના વિસ્તારોની માગણીઓ કરી રહ્યા છે ચીન- લડાખ+અરુણાચલ, પાકિસ્તાન- કાશ્મીર +જુનાગઢ, નેપાળ ને બાંગ્લાદેશને કંઇક અલગ અલગ સમસ્યાઓ છે જે વિસ્તારવાદી નથી પણ કોઇ બીજી જ માંગણીઓ છે
હવે આ બધા દેશોએ પોતાની જાતે જ પોતાના રાષ્ટીય નકશાઓ બનાવ્યા છે ને પોતાના દેશની સંસદમાં પાસ પણ કરાવી દીધાછે તેમાં જે વિસ્તાર હાલ તેમનો ભારત પાસે છે તે વિસ્તારને તેમના આ બનાવટી નકશાઓમાં પોતાનો જ ભાગછે તેમ બતાવ્યા છે, જેથી તેમની વરસો પછી આવનારી નવી પેઢીઓ જાણી શકે કે ભારત પાસે જે અમુક વિસ્તાર છે તે ભવિષ્યમાં આપણો હતો..તેમની પ્રજામાં એક પ્રકારનું ભારત વિરુદ્ધ ઝેર ઉપસાવવાનો પ્રયત્ન કરેછે! પાકિસ્તાનનો ઇમરાન ખાન તો એટલે સુધી કહેછે કે અમે જે નકશાઓ બનાવ્યા છે તે અમારી શાળાઓ, સ્કુલો, ને કોલેજોના વર્ગોમાં પણ લગાવવામાં આવશે જેથી તેમાં ભણતા અમારા દરેક નવજુવાનોને ખબર પડે કે અમારો પ્રદેશ ભારતે કેટલો બધો પડાવી લીધો છે! જે પહેલાં એ અમારા દેશનો હતો! અત્યાર સુધી પાકિસ્તાન ફકત કાશ્મીર માટે જ ભારત સામે ધમપછાડા કરતુ હતું પણ હવે તેના નવા નકશા પ્રમાણે ગુજરાતનું જુનાગઢ પણ તેના નકશામાં પોતાનો જ એક ભાગછે તે રીતે બતાવ્યો છે
આમ જો ભવિષ્યમાં પાકિસ્તાન આપણા જુનાગઢને હડપ કરી લઇ લેશે તો સાથે સાથે આપણુ આખે આખુ ગુજરાત પણ પછી તે પોતાનું કરી લેશે..પછી તો આપણે બધા ભારતને બદલે પાકિસ્તાની કહેવાઇશું! આતો વાત કરી આવનારા ઘણા વરસો પછીની પણ ભગવાન ના કરે એવુ કંઇક થાય તો...તો...! શું કરીશું !
પણ આપણે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણકે એ સમયે આપણે જ આ દુનીયામાં નહી હોઇએ...!
આમેય આપણે ભારતીઓ બંગડીઓ પહેરીને થોડા બેઠા છીએ...!!!
હવે તો આપણા રાફેલ તો આવી ગયાછે!