સુરત શહેરની એક હોસ્પીટલમાં ગયા મહીને એક ઉંમર લાયક સ્ત્રી કોરોના હોવાથી દાખલ કરવામાં આવી હતી ત્યારે તેમના બંન્ને કાનમાં સોનાની બે બુટ્ટી હતી જે તેમને પણ આ ખબર હતી તેમની ઇચ્છા હતી કે હું કોરોનાથી બચી જવું તો સારુ ભગવાનની એક મહેરબાની પણ જો હું કોરોનાથી મરણ પામુ તો મારા કાનમાં રહેલી સોનાની બુટ્ટી કોઇએ પણ કાઢવી નહી મારી સાથે જ તે સ્મશાને જાય ને હું સ્મશાનમાં એકદમ રાખ થઇ જાવ ત્યા સુધી તે મારા કાનમા રહે આ તેમની અંતિમ ઇચ્છા તેમના પરિવાર જણોને પણ પહેલાંથી જ કહી રાખી હતી
પણ તમને તો ખબર છે કે આજ એક તોલો સોનાનો ભાવ પંચાવન હજારને ટચ કરી ગયો છે એટલે સ્વાભાવિક હોય કે દરેક ને સોનાની ચીજો ઉપર ખરાબ દાનત હોય પછી તે ઘરના સભ્યો હોય કે હોસ્પીટલનો સ્ટાફ હોય પછી એક દિવસ આ મહિલા કોરોનાથી મરણ પામી એટલે હોસ્પીટલના કોઇ સ્ટાફે નજર બગાડીને કે પછી તેમની ફરજ પ્રમાણે આ મહિલાના કાનની બંન્ને સોનાની બુટ્ટી કાઢી લીધી પરિવારને પરત પણ ના કરી
તમને ખબર નહી હોય કદાચ કે કોઇપણ પરિવારના વ્યકતિનું મરણ કોરોનાથી થયું હોય તો પરિવારને તેનું મોઢું બતાવવામાં આવતું નથી કે તેની ડેડ બોડી પણ પરિવારને સોંપવામાં આવતી નથી પણ આ પરિવારે પેલી સોનાની બુટ્ટીનો મુદ્દો કાઢીને હોસ્પીટલના સ્ટાફે તેમના આ સ્વજનનું મોં ના છૂટકે બતાવવું પડયું તો માલુમ પડયું કે મરણ પામેલ મહિલાના કાને બે સોનાની બુટ્ટી ગાયબ હતી ત્યાર બાદ એકવાર તો મહીલાની અંતિમક્રિયા તો થઈ ગઇ પણ પછી તેમના પરિવારે આ બાબતે હોસ્પીટલમાં સ્ટાફ સામે હંગામો કર્યો સાથે તેમને દુ:ખ પણ થયું કે માતાની અંતિમ ઇચ્છા અમે પુરી ના કરી શક્યા
આથી પરિવારે પોલીસ સ્ટેશન જઇને ફરિયાદ પણ કરી ને હવે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે કે મહીલાની સોનાની બુટ્ટી કોને કાઢી ને હાલ તે કોની પાસે છે!