"જ્ઞાન આપશે શું ?"

શાંત તો બધાં દેખાય બહારથી ,
પણ અંદરની શાંતિનું શું ?

ખુશ તો બઉ દેખાય બધાં બહારથી,
પણ અંદરની ખુશીનું શું ?

એમતો બધાં ખુદ ખુદના માખોટા પહેરેલા રાખે છે,
પોતાની સચ્ચાઈ પોતાને જ ખબર નથી એનું શું ?

જે ખુદને પૂરી રીતે જાણતા નથી,
એ બીજાને પોતાનો પરીચય આપશે શું ?

જેને પ્રકૃતિની ઓળખાણ નથી,
એ બીજાને પ્રકૃતિની ઓળખાણ દેશે શું ?

જે સ્વયં અજ્ઞાનના અંધકારથી મળેલું છે બચુ,
એ બીજાને પ્રકાશનું જ્ઞાન આપશે શું ?


- Anjana lodhari..Bachu..

[મારી રચના વાંચવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. પ્રતિભાવ જરૂર જણાવશો.🙏]

Gujarati Poem by Anjana Lodhari ..Bachu.. : 111866080

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now