જીવવા માટે કૈઈક તો જોઈએ,
પ્રેમનો અનન્ય ભાવ જોઈએ,
શરીર હોય તો અન્ન જોઈએ,
મન હોય તો વિચાર જોઈએ,
હૃદયનાં ખૂણે કરુણા જોઈએ,
વિચારોમાં એક સત્ય જોઈએ,
સંબધોમાં અતૂટ વિશ્વાસ જોઈએ,
વર્તનમાં મોટી નમ્રતા જોઈએ,
સપનાઓને ઊંચી પાંખો જોઈએ,
માર્ગમાં ધીરી ચાલ જોઈએ,
સુખમાં સંયમનો શ્વાસ જોઈએ,
દુઃખમાં હિંમતનો પ્રકાશ જોઈએ,
જીવવા માટે કૈઈક તો જોઈએ,
માણસમાં એક માનવતા જોઈએ.
મનોજ નાવડીયા