ભરોસો રાખું છું, એ જ તો છળી જાય,
હશે કરમ નબળા, એટલે તો નડી જાય,
જેને સમજું પોતાનું, એ જ તો દૂર જાય,
હશે મન મેલું, એટલે તો રમાડી જાય,
સંબંધો રાખું છું, એ જ તો તોડી જાય,
હશે કોઈ ખોટ, એટલે તો નડી જાય,
જેને વાત કહું, એ જ તો ગામે જાય,
હશે હૃદયે ઉણપ, એટલે તો રમાડી જાય,
કોનો વાંક આપું, એ જ તો ખબર પડી જાય,
હશે ભૂલ મારી કે એની, એટલે તો ડંખી જાય.
મનોજ નાવડીયા
#mistakes #manojnavadiya #karma #manojnavadiyapoetry #manojnavadiyabooks #poem #kavita