આજકાલનું કિતાબી જ્ઞાન
કિતાબોમાં જ્ઞાન ઘણું, પણ જીવન ક્યાં શીખવાય?
પાનાં પાનાં વાંચીએ, અનુભવ ક્યાંથી આવે ભાઈ?
આંકડાઓમાં ગુણ મળે, પણ સંસ્કાર ક્યાં મળે?
ડિગ્રી હાથમાં હોય છતાં, સમજણ ક્યારે મળે?
પરીક્ષામાં જવાબ લખીએ, જીવનમાં જવાબ કોણ આપે?
કઠિન સમય જ્યારે આવે, ત્યારે સાચો રસ્તો કોણ બતાવે?
કિતાબ કહે “સફળ બનો”, દુનિયા કહે “સારા બનો”,
જ્ઞાન સાથે માનવતા રાખો, હૃદયથી પણ મોટા બનો.
મોબાઇલમાં દુનિયા છે, પણ સંબંધો કેમ દૂર થયા?
વાતો હજારો થાય છતાં, દિલના શબ્દો ક્યાં ખોવાયા?
કિતાબી જ્ઞાન જરૂરી છે, એ જીવનનો આધાર,
પણ અનુભવ અને સંસ્કાર વિના અધૂરો છે વ્યવહાર.
માર્ક્સથી નહીં, કર્મોથી માણસની ઓળખ થાય,
સાચું જ્ઞાન એ જ છે, જે જીવનમાં કામ આવે.
કિતાબ વાંચો, જ્ઞાન મેળવો, પણ જીવન પણ વાંચતા શીખો,
શબ્દો સાથે સંસ્કાર રાખો, અને માણસ બનતા શીખો.