ગઝલ: ઘરનું વાતાવરણ
ઘરનું વાતાવરણ ક્યાં કહીએ શબ્દથી,
ઘૂંટીએ સ્પર્શને, સંગીતના રાગથી.
દીવાલે લટકેલા યાદોના ચિત્ર છે,
હસતાં ચહેરા ઉમટે અક્ષરનાં ભાવથી.
ઘરમાં છે સુગંધ માઁના રસોડાની,
આથી દિલ પણ ભીનાં થાય છે મીઠા ભાવથી.
પિતાની વાતોનું પડછાયું ચાલે છે,
શબ્દ ન કહેવાય એવો સંવાદથી.
બાળકની હાંસીથી ભરે છે આંગણું,
જેમ વસંત આવે નાદાન ફાગથી.
સાંજ પડે ત્યારે દીવો કોઈ સળગે,
ઘર મા હોય તો શું મળે છે પ્રકાશથી?
-J.A.RAMAVAT