"હું કોઈને ગમુ કે ન ગમુ શુ ફરક પડે?"
હવે હું કોઈને ન ગમું તો યે શું ફરક પડે છે…
કારણ કે ગમવું કે ન ગમવું એ તો અન્ય ના મનની પસંદગીની વાત છે,
અને હવે મારે એ પસંદગીની પરીક્ષામાં
ખરા નથી ઉતરવું,
મારા અસ્તિત્વની કિંમત બીજાના સ્વીકારમાં નથી,
પણ મારી પોતાની અંદરની શાંતિમાં છે…
જો કોઈને હું ન ગમું, તો એ તેમનો દ્રષ્ટિકોણ છે,
મારી હકીકત નહીં…
મારે હવે કોઈના approval નથી જોઈતા,
કોઈ મારી પ્રશંસા કરે એવી ઈચ્છા નથી મને…
મારા માટે હું "હું" છું ને એ જ પૂરતું છે,
હું મારી આત્માના અવાજને સાંભળી શકું છું,
એને અનુસરી શકું છું એ જ મારી સાચી જીત છે…!!
-Riddhi
-Gori 💙🤍