Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(713k)

વર્તમાનમાં મને શું શું, અને કેટલું મળી રહ્યું છે ?
થી લઈને, ભવિષ્યમાં મારે શું શું જોઈએ છે ?
સુધી પહોંચવું હોય તો, સૌથી પહેલા તો
મારે એ જાણી લેવું અનિવાર્ય છે કે, એના માટે મારે
શું શું કરવું પડશે ? અને કઈ કઈ વાતની
તૈયારી રાખવી પડશે ?
- Shailesh Joshi

Read More

🙏જીવનને માણવું સાવ સહેલું છે🙏
જ્યારે આપણે નાની મોટી સફર કરીએ છીએ ત્યારે,
માર્ગમાં આવતા સાઈન બોર્ડને અનુસરીને કરેલ ડ્રાઈવીંગ,
અને જીવન સફરમાં માતાપિતાએ આપેલ બોધ પ્રમાણે જીવાતું જીવન, આપણી સલામતીની સાથે-સાથે સફરનો પૂર્ણ આનંદ આપી આપણને હેમખેમ આપણી મંઝિલ સુધી પહોંચાડે છે.
સફરમાં પણ
જીવન સફરમાં પણ 👍

Read More

પ્રભુની કૃપા
ત્યાં સુધી આપણી ઉપર બની રહે છે,
જ્યાં સુધી આપણે આપણી સાથે-સાથે
સૃષ્ટિના તમામ જીવો માટે
ઈશ્વરે બનાવેલ સૃષ્ટિના
બધાજ નિયમોનું
જવાબદારી પૂર્વક પાલન કરીશું.
- Shailesh Joshi

Read More

જે લોકો
ખરેખર પોતાનું ભવિષ્ય
ઉજ્જવળ બનાવવા માંગતા હોય
એ લોકો, રોજ સાંજે પડે,
"બીજી કોઈ નહીં" પરંતુ
"કાલની સવાર જલ્દી પડે"
એની ચિંતામાં હોય છે.
- Shailesh Joshi

Read More

🤫 જીવનમાં ક્યારેય એવી ભૂલ ના કરવી કે,
સમય જતાં.....
"પછતાવાનો વારો આપણો આવે"
ને
"દુઃખી થવાનો વારો આપણા આત્માનો" 🤔
- Shailesh Joshi

Read More

"હું તને પ્રેમ કરું છું"
આ વાક્ય અપૂર્ણ કે પછી ભ્રમિત કરાવે એવું છે, કમસેકમ પ્રેમની બાબતમાં તો ખરું.
કેમકે આ વાક્ય,
સંભળાવવા માટે છેજ નહીં, પરંતુ એતો
"હું એને પ્રેમ કરું છું"
એ જાતે અનુભવવા માટે છે.
- Shailesh Joshi

Read More

સારો સમય સ્વમાની હોય છે જ્યારે ખરાબ સમય હઠીલો માટે જો આપણે આપણા સારા સમયની યોગ્ય કદર નહીં કરીએ, અને ખરાબ સમયને ધ્યાનમાં લીધા વગર એને ખાલી કોષતા રહીશું, તો સારા સમયને જતા વાર નહીં લાગે, ને કદાચ એ ફરી પાછો પણ નહીં આવે, જ્યારે ખરાબ સમય એના સ્વભાવ પ્રમાણે થોડો હઠીલો હોવાથી એતો આપણી જીંદગીમાંથી જવાનું નામ પણ નહીં લે, ને ઉપરથી એ વધારે ખરાબ થતો જશે.
- Shailesh Joshi

Read More

હાલનાં સમયમાં
મનથી સુખી માણસ
કેમ ઓછા જોવા મળે છે ?
કેમકે અહીં પ્રત્યેક બીજા માણસને
કોઈનેકોઈ પ્રકારે
ત્રીજો માણસ નડે છે.
( આમાં અપવાદ હોઈ શકે )
ઉપાય - ત્રીજાને ભૂલી
પહેલા પર ધ્યાન કેન્દ્રિત કરીએ
- Shailesh Joshi

Read More

આપણું નસીબ
આપણા કર્મો થકી બંધાતું હોય છે,
ને કર્મો હંમેશા આપણા
વિચારોને આધિન હોય છે.
પરંતુ પરંતુ પરંતુ
"આ બધું માને એના માટે"
- Shailesh Joshi

Read More

જો આપણે આપણી જિંદગીને
સારામાં સારી રીતે માણવા માંગતા હોઈએ,
તો આ એક વાત હંમેશને માટે યાદ રાખવી કે,
કોઈપણ વ્યક્તિના જીવનમાં,
સારું કે ખરાબ કંઈપણ,
કારણ વગર નથી થતું,
અને અને અને, એનું કારણ પણ
આપણે પોતે જ હોઈએ છીએ,
બીજું કોઈ નહીં.
- Shailesh Joshi

Read More