Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(988.1k)

જૂના કે નવા,
નાના કે મોટા,
સાચા, કે ખોટા વિવાદો
વાગોળવા, કે ઉભા કરવામાં
આપણો જે સમય, કે પછી આપણી ઉંમર આપણા હાથમાંથી સરકી જાય છે,
એનો ઉપયોગ આપણા, અને આપણા પરિવારના સુંદર ભવિષ્યના આયોજનમાં કરીએ,
કારણ કે,
ઉંમર એ નિરંતર ચાલતી ક્રિયા છે,
આપણે એને રોકી નથી શકતા,
પરંતુ હા,
ઉંમરની ઉંમરને ઘટાડવી, કે વધારવી, અને સાથે- સાથે,
એને કેટલી ગતિથી, કઈ દિશામાં લઈ જવી ?
એ આપણા હાથમાં હોય છે.
હવે આ ઉંમરનો, કોણ, કેટલો, અને કેવી રીતે ઉપયોગ કરે છે ?
એની ઉપર જ,
જે તે વ્યક્તિનાં જીવનમાં આવતા સારા, કે નરસા સમયનો મુખ્ય આધાર નક્કી થતો હોય છે.
જાગ્યા ત્યાંથી સવાર માની, મન મોટું રાખી, જીવનમાં આગળ વધવું, એમાં જ સાચી સમજદારી છે.

Read More

સારો સમય બે લોકોને સાથ આપે છે,
1 - આર્થિક રીતે નબળા સમયમાં જે શાંત રહી શકે છે, અને
2 - જાહોજલાલીના સમયમાં જે નમ્ર રહી શકે છે.
જેની પાસે આ બે આવડત હશે,
એણે માની લેવું કે, એમનો
ખરાબ સમય વધારે ટકશે નહીં, ને
સારો સમય ક્યારેય જશે નહીં.
- Shailesh Joshi

Read More

જો તમે
કોઈ એકજ વાતને લઈને,
એકજ જગ્યાએ
ખૂબ લાંબા સમયથી
સતત પરેશાની અનુભવી રહ્યા હોવ,
ને સામે
તમે સાચા છો, એ વાતની સફાઈના બે શબ્દો સાંભળવા માટે પણ જો સામેની વ્યક્તિ તૈયાર ના હોય એ અવસ્થા,
એ વાતની સાબિતી છે કે,
તમે તમારી રીતે,
કે પછી તમારી કોઈ વાતમાં,
કે કામમાં, 💯 % સાચા છો ?
આવા સમયે તમારે
અત્યંત જરૂરી છે માત્ર ધીરજની,
બાકી તમે જે ઈચ્છો છો, એ બધુંજ, સમય કરી આપશે.
માટે આવા સંજોગોમાં ક્યારેય
"ના-હકની ચિંતા ન કરવી"
- Shailesh Joshi

Read More

પુરી "ડિસ્કસ" કર્યા સિવાય
કોઈ "નિષ્કર્ષ" પર પહોંચવું ક્યારેક,
ખોટું, કે પછી
ભારે પડી શકે છે.
- Shailesh Joshi

સફળતા મેળવવા માટે કરવી પડતી ભરપૂર મહેનત, અને સામે આવતી કઠિન સમસ્યાઓ, અને પડકારો પછી મળતી પ્રચંડ, કે આંશિક સફળતા, કે પછી નિષ્ફળતા સારી,
કારણ કે,
જીવનમાં સફળતા મેળવવા માટે કોઈપણ પ્રકારનો પ્રયત્ન નહીં કરી ભોગવવો પડતો સમય, આપણા આગામી જીવનને અતિશય પીડા, પડકારો, અને સમસ્યાઓ ભરી દે છે.

Read More

આજકાલ
કોણ ક્યાં છે ?
એતો ટેકનોલોજી
બતાવી દે છે,
પરંતુ એ મન, કર્મ અને વિચારોથી ક્યાં છે ?
એ જાણવું હોય,
"તો એના માટે શું ?"
- Shailesh Joshi

Read More

માતા-પિતા એ આપેલ છૂટ
સંતાનના સારા માટે,
સંતાનની ખુશી માટે હોય છે,
એનો દુરુપયોગ ના કરવો જોઈએ, કેમકે.....
સમગ્ર સૃષ્ટિમાં
એક મા-બાપ જ એવા વ્યક્તિ છે, જેની સાથે સંતાન
કોઈપણ પ્રકારનો વિશ્વાસઘાત કરે ત્યારે એનો ઊંડો ઘા સીધો એમના હ્રદય પર થતો હોય છે,
જે પુરી જિંદગી એમને પીડા આપે છે, છતાંય એ મા-બાપ, ક્યારેય...
પોતાના સંતાનનું અહિત થાય એવો વિચાર સુધ્ધાં,
સપનામાં પણ ન કરે.

Read More

સંતાનના જન્મથી લઈને
"એમના પોતાના મૃત્યુ સુધી" દરેક માતા-પિતા,
પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની જ ચિંતા કરતા હોય છે, આની સામે સંતાનોએ પણ
આ એક વાતનું ધ્યાન તો રાખવું જ જોઈએ કે,
એમની કોઈ ભૂલના કારણે પોતાના માતા-પિતાને
એમના ઘડપણમાં શોષાવું ના પડે.
- Shailesh Joshi

Read More

શું સારું ? ને શું ખરાબ ?
એ મોટાભાગના લોકોને
સમજાવવાની જરૂર નથી પડતી,
કેમકે એતો સૌ સારી રીતે
જાણે છે કે,
શું હોય એનો સાચો જવાબ
ને એટલેજ તો અમુક લોકો મૌન ધરી
રાખે છે ધીરજ, શાંતિ, અને સંતોષ
બાકી લોકોએ તો મચાવ્યો છે,
જૂઠ, અનીતિ અને પાપનો પ્રકોપ
આ સૌથી પહેલાં એમના અને એમના પરિવાર માટે, અને સાથે-સાથે સમાજ માટે પણ બહુ ખોટું છે.
કારણ કે,
મનુષ્ય જીવન એ ઈશ્વર તરફથી આપણને સૌને મળેલ
એક અમૂલ્ય ભેટ છે,
અને જો એનો સાચો, અને
પૂરો આનંદ આપણે માણવો હોય
તો આ એક વાત હંમેશ માટે યાદ રાખવી કે,
આપણા જીવનમાં કોઈપણ પ્રકારની પ્રગતિના ક્ષેત્રે,
અનિવાર્ય પ્રતિકૂળ સંજોગો વસાત, આગળ વધવામાં ગમે તેટલું મોડું થશે તો એ એકવાર ચાલશે.....
બાકી જો આપણી પ્રગતિ માટે આપણાથી
એકવાર જો કોઈ ખોટો રસ્તો પકડાઈ ગયો તો.....
તો ત્યાંથી જ્યારે આપણે પાછા વળવું પડશે....અને વળવુંજ પડશે ત્યારે..... ત્યારે ખરેખર ઘણું મોડું થઈ જતું હોય છે.
સમજાય એને વંદન અને ના સમજાય એને વિનંતી મારા ભાઈ
🙏👍🙏👍🙏

Read More

ગમે તેટલો નીજી ફાયદો થતો હોય તો પણ
સમાજનું વાતાવરણ ડહોળાય
એવું કામ ક્યારેય ન કરવું,
કેમકે એવો ફાયદો એ,
એ વહાણના કાણા જેવો છે, જે વહાણમાં
આપણે તો સફર કરી જ રહ્યા છીએ,
ને એજ વહાણમાં
જે નવા મુસાફર આવવાના છે, એ છે...
"આપણી આવનારી પેઢી"
- Shailesh Joshi

Read More