Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(3m)

આયોજન સફળતા પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે, અને આયોજન કર્યાં પછી પણ આપણને ધાર્યું ફળ નથી મળવાનું એની, અને સફળતા ન મળે ત્યાં સુધી
નવા નવા પ્રયત્નો કરવાની તૈયારી રાખવી,
એ પણ એટલું જ અનિવાર્ય છે,
અને જો આપણે આટલું નથી કરી શકતા,
તો પછી આપણે સફળ થવાની આશા
છોડી દેવી જોઈએ.
- Shailesh Joshi

Read More

જ્યારે આપણે કોઈપણ ક્ષેત્રમાં આપણી અંદર પ્રાપ્ત કરેલ કાર્ય કુશળતા પૂરવાર કરવાની શરૂઆત કરીએ, ત્યારે આપણે જે શ્રધ્ધા, નિષ્ઠા અને પ્રભુ પ્રાર્થના સાથે જે તે ક્ષેત્રમાં ઝંપલાવીએ છીએ, અને એમાં જ્યારે આપણને ધાર્યું પરિણામ મળે છે, મતલબ કે આપણે સફળ રહીએ છીએ, ત્યારબાદ જો આપણી આપણા ઉપરની શ્રદ્ધા જો અહમમાં પરિવર્તિત થાય, નિષ્ઠાની માત્રા ઘટવા માંડે, અને પ્રભુ ભક્તિમાં જે દિવસથી ઉણપ કે દેખાડો આવવા લાગે, તો સમજી લેવું કે, આજથી આપણે આપણી કારકિર્દીને લઈને જે નિર્ણયો લઈ રહ્યા છીએ, એ નિર્ણયો આપણને વહેલા કે મોડા, આપણને આપણા બાકી જીવનમાં, અંધકાર કે અફસોસ સિવાય બીજું કશું નહીં આપે.

Read More

પ્રેમ થવો, કે કરવો એ એક વાત છે,
જે ઘણા બધા લોકો કરતાં હોય છે,
ને એ વાત ખાલી સારી છે, બાકી
પ્રેમ રહેવો, ને વધવો
એ અલગ વાત છે, કેમકે
પ્રેમ કરતા રહેવાવાળાની
વાત જ ન્યારી હોય છે.
- Shailesh Joshi

Read More

આપણને જે જોઈએ છે,
માત્ર એની પાછળ જ ભાગતા રહેવાથી તો, હમણાં જે જરૂરી છે, એનાથી અથવા તો આગળ જે મળવા યોગ્ય હશે, એનાથી પણ હાથ ધોવાનો વારો આવવાની પૂરી શક્યતાઓ રહેલી છે, પરંતુ હમણાં આપણા માટે જે જરૂરી છે, એના માટે બનતા પ્રયત્નો કરતા રહેવાથી હમણાં જે જરૂરી છે એમાં આંશિક રાહત, અને ભવિષ્યમાં આપણને જે જોઈએ એ મળવાની પૂરી સંભાવનાઓ રહેલી છે.

Read More

દરેક વ્યક્તિએ
આજની ચિંતા ઘટાડવા માટે કંઈપણ કરતા પહેલા એટલું વિચારી લેવું કે,
હું મારી આજની ચિંતા હળવી થાય એના માટે,
જે પગલું ભરવા જઈ રહ્યો છું,
અને એ પગલાથી ભલે મારી આજની ચિંતા ઘટતી પણ હોય, પરંતુ
મેં આજે ભરેલ આ પગલું,
મારી આવતીકાલની ચિંતામાં વધારો તો નથી કરતું ને ?

Read More

[ સારા નરસા વિચારોનું ગણિત ]
👇
સપનાઓનું કામ એકજ છે કે,
એ વિચારોને જન્મ આપે છે,
પરંતુ એ વિચારોના પાછા
બે પ્રકાર હોય છે,
એમાં એક પ્રકારના વિચારો જે હોય છે, એ એવા હોય છે, કે જે ધીરે ધીરે આપણને આપણા સપનાઓ પૂરા કરવા તરફ દોરે છે,
જ્યારે બીજા પ્રકારના વિચારો જે છે, એ.....
આપણા સપનાઓ પર પાણી ઢોળે છે.

Read More

શ્વાસ ના છૂટે ત્યાં સુધી મા-બાપના કહ્યા પ્રમાણે,
અને વિશ્વાસ ના જીતીએ ત્યાં સુધી
આપણને રોજી આપતા હોય
એમના કહ્યા પ્રમાણે જીવન જીવવાથી,
જીવનમાં આવવાવાળી
ઘણી બધી સમસ્યાઓમાંથી
આપોઆપ છુટકારો મળી જતો હોય છે.
- Shailesh Joshi

Read More

અઢળક સંબંધોમાં
કેટલા મારા ?
એની સાચી જાણકારી તો
એમને મળે, જે હોય
દિલના સારા
- Shailesh Joshi

પ્રેમ એટલે
કોઈપણ વ્યક્તિમાં સહનશીલતા વફાદારી વિશ્વાસ આવડત ફરજ પ્રેમ લાગણી અને એકબીજા માટે કંઈ કરી છૂટવાની માત્રા માપવા માટેનો સૌથી સારો, સૌથી મોટો અને ઈશ્વરે આપેલ એક પવિત્ર અવસર એટલે લગ્નગ્રંથિથી જોડાવું, કેમકે જોડીઓ ઈશ્વર બનાવે છે, અને એને મજબૂતી આપવા માટે આટલી તૈયારી અનિવાર્ય છે.
- Shailesh Joshi

Read More

ભલે આપણે બીજું કશું કરી શકીએ,
કે ના કરી શકીએ, આપણી આર્થિક, શારીરિક વ્યવહારિક વ્યવસાયિક કે સાંસારિક સ્થિતિ પણ ના સુધારી શકીએ, પરંતુ આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે, જે છે એને વધારે બગડવા ન દઈએ, કમસેકમ દેખાદેખી, આળસ કે આપણી બેદરકારી ને કારણે તો ક્યારેય નહીં, ને આ બધું કરવાનું તો પાછું આપણા માટે જે છે ને ?

Read More