Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.1m)

ગમતું બધું જ મળે, એના કરતાં,
અડધું મળે, અને બાકીનું અડધું મળી રહે
એના માટે, આપણે પ્રયત્નો કરવા પડે,
અને પછી જો આપણે આપણા એ પ્રયત્નોમાં સફળ રહીએ,
એના જેવું જીવન બીજું એકે નહીં.
- Shailesh Joshi

Read More

"વિચારો" એ એક એવી બાબત છે કે જે,
ક્યારેક આપણને બિચારો પણ બનાવી શકે છે,
એટલે હંમેશ માટે આપણે એટલું યાદ રાખીએ કે,
"હમણાં જેટલું જરૂરી છે
એટલું જ વિચારીએ"
Shailesh Joshi

Read More

કરે છે ઘણા "એવું" "ના" કરવા જેવું
છોડીને "એવું" કરો એ "જે છે કરવા જેવું" કારણ કે આમાં...
લાંબુ નહીં ચાલે, મૂકી દો, અને
"કરો એવું" જે છે "કરવા જેવું"
નહીં તો, "એ વખત દૂર નથી"
જ્યારે પડશે જે નથી ગમતું,
"એ બધું સહેવું" ને આમાંથી
"સહ્યા વગર બાકાત"
કોઈ જ નથી રહેવાનું.
"ના હું, કે ના તમે"
"પછી એ, ગમે, કે ના ગમે"
- Shailesh Joshi

Read More

👉સાફ કરવું સહેલું છે, માફ કરવું અઘરું
👉પ્રેમ, અને હાકનું યોગ્ય પ્રમાણ
પરિવારમાં એકતા, અને ખુશી જાળવી રાખે છે.
👉લાંબા સમયથી એકજ ક્ષેત્રમાં હોવા છતાં,
યોગ્ય પરીણામ નહીં મળવાના બે કારણ,
એક્તો આપણે ક્યાંક ને ક્યાંક
કાચા પડી રહ્યા છીએ,
અને બે - પ્રભુની મરજી
- Shailesh Joshi

Read More

ટોચે પહોંચવા માટે હંમેશા
નજર ઊંચી રાખવી જરૂરી છે,
પરંતુ
ટોચે પહોંચ્યા પછી
નજર નીચે કરવી
એ એક સારા, અને સાચા માણસની, નિશાની પણ છે, અને જવાબદારી પણ, કેમકે
આપણી પાછળ,
આપણી જેમ
ટોચ ઉપર પહોંચવા પ્રયત્નો કરતા અસંખ્ય લોકો હોય છે, કે જેમને કોઈ, સાચી સલાહ- સૂચન કે રાહ ચીંધે
એવા વ્યક્તિની આશા હોય છે.
( એવા લોકોને મદદ કરવાથી આપણા જીવનમાં શું ફર્ક પડે ? )
કોઈપણ વ્યક્તિની
ની-સ્વાર્થ ભાવે મદદ કરવાથી
સૌથી મોટો ફાયદો આપણને એ થાય છે કે,
એક તો આપણા જીવનનો આગળનો માર્ગ સરળ બનતો જાય છે, અને બે કે, પછી આપણને મળેલ સફળતા ટકી રહે,
એના માટે આપણે જરાય ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
પરંતુ પરંતુ પરંતુ,
આ બધી વાતોમાં વિશ્વાસ તો એવા લોકોને જ આવે, કે જે લોકો
આ બાબતનો જાત અનુભવ કરે.
- Shailesh Joshi

Read More

" સારું પરિણામ"
અલગ અલગ રહીને
કોઈ એક બાબત પર
મંતવ્યો આપવાથી નહીં,
પરંતુ....બધા જ સાથે મળીને,
એક થઈને
અલગ અલગ બાબતો માટે
પ્રયત્નો કરવાથી મળે છે.
- Shailesh Joshi

Read More

વાણી વર્તન અને વ્યવહાર થકી, હું શું છું ?
એ બતાવવાથી આપણા જીવનમાં અનુક્રમે
ખોટો અહમ ઉત્પન્ન થાય છે, પછી એજ અહમ
ક્રોધમાં પરિવર્તિત થઈ, છેલ્લે ઉચાટમાં પરિણમે છે.
જ્યારે આપણે સામેના વ્યક્તિને સમજવાની
માત્ર શરૂઆત કરીએ છીએ,
એજ ક્ષણથી" સામેના વ્યક્તિ તરફથી આપણને
સાચો પ્રેમ, લાગણી, અને હુંફ મળવાની
શરૂઆત થઈ જતી હોય છે.
- Shailesh Joshi

Read More

સુખ,
શાંતિ ભર્યા જીવનને
સંબંધીઓની સંખ્યા,
કે પછી
સંપત્તિના મોટા સરવાળાથી
કોઈ મતલબ નથી રહેતો,
એના માટે તો માત્ર,
આપણા જીવનમાં આપણને
જે સાચું સુખ, અને શાંતિ આપે
એજ જીવન સારું,
પછી એ વાત સંબંધોની,
હોય કે સંપત્તિની, બાકી તો,
"શું તારું ? ને શું મારું ?"

Read More

ઘડિયાળ ખાલી સમય જોવા માટે નહીં, પરંતુ
એ સમયનો સદુપયોગ કરવા માટે હોય છે,
એમ પુસ્તકોનું લખાણ પણ
માત્ર વાંચવા માટે નહીં,
પરંતુ એ વાંચેલું જીવનમાં ઉતારવા માટે હોય છે.
- Shailesh Joshi

Read More

આપણો, અને આપણા પરિવારના સભ્યોનો,
સમય અને પૈસો ક્યાં ખર્ચ થાય છે ?
એની ઉપર જ...
આપણું, આપણા પરિવારનું, આપણા સમાજનું,
અને સમગ્ર દેશ, કે વિશ્વનું ભવિષ્ય બંધાતું હોય છે.
- Shailesh Joshi

Read More