The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આમ ગુમાવ્યા પછી શું તું એની કિંમત કરે છે ? એકવાર ગયા પછી ક્યાં એ પાછો ફરે છે ? માટે જ્યાં સુધી પાસે છે, સાથે છે ત્યાં સુધી, એને ઓળખ, અને સાચવીને રાખ, હે માનવી, કેમકે..... સારો માણસ ક્યાં બધાને મળે છે. - Shailesh Joshi
સાચી💞વેલેન્ટાઈન💞ગિફ્ટ 👉જુઓ આ You Tube Shorts https://youtube.com/shorts/yPFarfiaI1U?si=O2bSEYc8vb-AdlhB
નોકરી, વ્યવસાય કે પછી અન્ય કોઈ રીતે આપણે જે કમાણી કરતા હોઈએ છીએ, અને એ કમાણી થકી આપણે જે જે સુખ સુવિધા મેળવવા માંગતા હોઈએ છીએ, એ સુખ અને સુવિધા સુધી જો આપણે વહેલા પહોંચવું હોય તો આપણને જે વ્યક્તિ કે પછી જે વ્યવસાય રોજગાર પુરો પાડતા હોય, એમની શરતો, અને નિયમોને અનુસરવું, કારણ કે જો એમાં આપણે આપણી પોતાની શરતો, અને નિયમો મુજબ કામ કરવા જઈશું, તો આપણે આપણા જીવનમાં આપણે ધારેલા સુખ અને સુવિધાઓ સુધી ખુબજ મોડા પહોંચીશું, અથવા તો.... કદાચ એમાં એવું પણ બની શકે છે કે, આપણે આપણા ધારેલા સુખ, અને સુવિધાઓથી કાયમ માટે વંચિત પણ રહી જઈએ, એવી પણ પૂરી સંભાવનાઓ, કે પછી એવો સમય પણ આપણી સામે ઊભો થઈ શકે છે. - Shailesh Joshi
Simple વાત છે કે, સફળતા મળ્યાં પછી આપણા ચહેરા પર ખુશી દેખાય છે, પરંતુ સમજવા જેવી વાત એ છે કે, એ ખુશી આપણને ત્યારે જ પ્રાપ્ત થશે, કે જ્યારે આપણને સફળતા ન મળે ત્યાં સુધી આપણી સફળતાને આપણા ચહેરા પર ભરપૂર આત્મવિશ્વાસ દેખાશે. - Shailesh Joshi
વહેલી કે મોડી પરંતુ સફળતાની ગેરંટી તો ત્યારે જ મળે કે જ્યારે, કોઈપણ બાબતની, કોઈપણ વ્યક્તિથી આપણા મોઢે કોઈ ફરિયાદ ન રહે. - Shailesh Joshi
આપણો સૌથી મોટો દુશ્મન કે પછી સૌથી સારો દોસ્ત, આ દુનિયામાં કોઈ હોય તો એ છે, આપણું મગજ, માટે જો આપણે આપણા જીવનથી સારા પરિણામની આશા રાખતા હોઈએ, તો એની ચાલવાની ગતિ, અને દિશા પર સતત અને પૂરતું ધ્યાન આપવું, ખૂબજ મહત્વનું છે. - Shailesh Joshi
જીવન છે ત્યાં સુધી કર્મ કરવું, જરૂર હોય ત્યાં સુધી આપણા માટે, અને જરૂર ન હોય, તો જેને જરૂર છે એવા લોકો માટે, એકલા આગળ વધવું એ એકજ કામ કરતા રહેવાથી જીવનમાં ક્યારેય, કોઈનેય પૂર્ણ આનંદની પ્રાપ્તિ મળી પણ નથી ને મળતી પણ નથી. - Shailesh Joshi
જીંદગી આપણી હોય, કે પછી આપણા સંતાનોની, એટલું સમજી, સમજાઈ લેવું ખૂબ મહત્વનું છે કે, કોઈ એક કામ ક્યારેય પૂરી જિંદગી ના સુધારી શકે, પછી એ કોઈપણ પ્રકારનું મજબૂત કામ હોય કે પછી હોય સાચો કે ખોટો કોઈ શોર્ટકટનો વિચાર, એના માટે રોજેરોજ પ્રયત્નો કરવાની પૂર્વ તૈયારી રાખવી અતિ આવશ્યક છે, પછી ભલે એમાં ઓછી મહેનતે વધુ તક મળે, કે એ તકનો ફાયદો પણ અઢળક મળે, એ અલગ વાત છે. પરંતુ જીવીએ ત્યાં સુધી કામ કરવાની તૈયારી એજ એક માત્ર જીવન ધોરણ સુધારવાની ચાવી છે. - Shailesh Joshi
જ્યાં ને ત્યાં વારંવાર અટવાઈ જતા લોકો માટે "ખાસ" 🚨 કે..... આપણે આપણા મગજને સતત ટકોર કરતા રહેવાનું છે કે, એ... સમયની સ્ક્રીપ્ટ પ્રમાણે એનાથી બની શકે એટલું સારું બનતું, કે ઘટતું કરે, અને એ પણ સમયસર, સાથે-સાથે કોઈપણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ, કે સંજોગોમાં એ પોતાનો મિજાજ જાળવી રાખવાની, પૂર્ણ તૈયારી રાખે, નહીં કે મન કહે એમ, કે પછી મનમાં જે આવે એ પ્રમાણે સ્વચ્છંદી પણું કરવાની.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser