Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.2m)

❤️દિલને❤️
સૌથી વધારે નુકશાન પહોંચાડી શકે
એવું બીજું કશું હોય તો એ છે...
👉દિમાગ👈
પછી એ આપણું હોય,
કે પછી અન્ય કોઈનું✍️
માટે એનો ઉપયોગ
ખૂબજ સમજદારી પૂર્વક કરીએ🤔 Shailesh Joshi

Read More

જીવનમાં કરવા જેવા જે જે કામ છે,
એ બધા કામ કોઈપણ કારણસર
જો હમણાં આપણે નથી કરી રહ્યાં
તો જ્યારે એ કામ કરવાનો વખત આવશે,
ત્યારે આપણે આ એક વાત યાદ રાખીએ કે,
એ સમયે 100 એ 100 % ખૂબ મોડું થઈ ગયું હશે,
અને આ વાત હળવાશમાં લેવા જેવી તો બિલકુલ નથી, કારણ કે વહેલો કે મોડો,
આપણા સૌના જીવનમાં એવો વખત,
100 નહીં, પરંતુ 200 %
આવે આવે ને આવે જ છે.
- Shailesh Joshi

Read More

જે સમયથી ફરીયાદો
નામશેષ થવા લાગે
એજ દિવસથી જીવનમાં
શાંતિનો પ્રવેશ થવા લાગે
- Shailesh Joshi

वर्तमान सुर है और हम...
instrument
इसलिये जब हम
वर्तमान के हिसाब से instrument बजाना सीख लेंगे,
तो यकीनन हमारा जीवन
मधुर और सुरीला बन जाएगा.
- Shailesh Joshi

Read More

સમસ્યા
તકલીફો કે
હેરાનગતિ
પ્રત્યેક જીવોને હોય છે,
એમાંથી
કેટલાક જીવો એનો સામનો કરે છે
કેટલાક જીવો એનું સમાધાન શોધે છે
જ્યારે કેટલાક જીવો
એનાથી સમાધાન કરી લે છે, અને
કેટલાક જીવો
એને મને, કે "ક" મને સ્વીકારી લે છે,
જ્યારે બાકીના જે જીવો વધ્યા એમાંથી અડધા જીવો
એમને એમના જીવનમાં
શું શું તકલીફો પડી રહી છે ?
એ ગોખવાની હોય એમ
બિલકુલ ગંભીરતા પૂર્વક
એકલા એકલા એનું રટણ કરે રાખે છે, ને હવે જે વધ્યા એ જીવો
પોતાને કઈ કઈ તકલીફો છે ?
તેની વિસ્તાર પૂર્વક અને સતત
અન્યોને એની જાણકારી આપી પોતાની સમસ્યાઓનો પ્રચાર કરે રાખે છે.

Read More

કોઈપણ ઝગડો કે વિવાદ
મોટે ભાગે
બે વ્યક્તિઓ વચ્ચે નથી હોતો,
સત્ય અને અસત્ય વચ્ચે હોય છે.
- Shailesh Joshi

જીવનમાં શું કરવું અને શું ના કરવું ? એ સમજવું
અતિ આવશ્યક છે કેમકે આપણે આપણી આસપાસ
જોઈએ છીએ કે ઘણા બધા લોકો કરવા જેવું કે
ન કરવા જેવું ઘણું બધું કરીને પણ
કંઈ ખાસ મેળવી નથી શકતા, અને અમુક લોકોને
માત્ર કંઈ ન કરવા જેવું નહીં કરીને સામેથી ઘણું બધું મળી જતું હોય છે.
- Shailesh Joshi

Read More

જો આપણને ખોટી બહેસ,
ખોટો વિવાદ કે વિખવાદ કરવાનો સમય, આદત કે પછી કોઈ મજબૂરી હોય, તો એનો સીધો, મુખ્ય અને મહત્વનો અર્થ એકજ થાય છે કે,
આપણને આપણા જીવનનું અમુલ્ય અને સાચું ધ્યેય હજી સુધી પ્રાપ્ત થયું નથી, અને જો આપણને ખરેખર આપણા જીવનનું સાચું ધ્યેય પ્રાપ્ત થઈ ગયું છે, તો.....
તો પછી આપણે આપણા જીવનનાં એ ધ્યેયને લઈને એટલા ગંભીર નથી.

Read More

જો યોગ્ય દ્રષ્ટિ રાખીએ તો,
બોલવા સાંભળવા કરતાં
વિશેષ જ્ઞાન
જોઈને પ્રાપ્ત થાય છે
- Shailesh Joshi

"કોઈપણ કામ થવામાં" ક્યારેય
એટલો સમય નથી લાગતો, "જેટલો સમય"
એ કામને શરૂ કરવા માટેનાં "વિચારો કરવામાં લાગે છે"
- Shailesh Joshi

Read More