The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કોઈપણ ચિંતા એટલી મોટી નથી હોતી, જેટલી વિચારોમાં વર્તાય છે, છતાંય... એનો સાચો ખ્યાલ તો ત્યારેજ અનુભવાય છે, કે જ્યારે કાંતો એ ચિંતાનો સામનો કરાય છે, કે થાય છે, અને કાંતો કંઈપણ કર્યા વગર માત્ર એ ચિંતામાંને ચિંતામાં લાંબો સમય વહી જાય છે. - Shailesh Joshi
આપણા જીવનની બધીજ પરીક્ષાઓ ઈશ્વરના હાથમાં હોય છે, એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે, ઈશ્વરે લીધેલી પરીક્ષામાં પાસ થવા માટે, સમયની અને એમાં સફળ થવા માટે કરવા પડતાં પ્રયત્નોની કોઈ મર્યાદા નથી હોતી, ઈશ્વરે આપણને સૌને ભરપૂર સમય આપ્યો જ છે, છતાંય આપણે ખોટી ઉતાવળ કરી, ખોટી રીતે, કે ખોટા રસ્તે કેમ વળી જઈએ છીએ ? તમે જ વિચારો કે, આમાં નુકશાન કોને ? માટે જીવનમાં સુખનો સમય ચાલતો હોય, કે દુ:ખનો શાંતિ અને ધીરજ રાખ્યા વિના સારા સમયની પ્રાપ્તિ કે, જીવનમાં કાયમી આનંદની અનુભૂતિ આપણે ક્યારે, કેટલી અને કેવી રીતે કરી શકીશું ?
તારીખ, વાર, ગામ, નામ અને સરનામા બદલાય છે, ઘટનાઓ ને વારદાતો તો બધી એક જેવી જ થાય છે, પાછું જાણે છે તો સૌ કે, ખોટા કર્મોની સજા અતિ આકરી હોય છે, તોયે નીત નવા નવા દુ:ખદ કિસ્સાઓ સતત ઉમેરાતાં જાય છે, ઉપર ઈશ્વર પણ આજકાલ અવઢવમાં હશે, કે મારા બનાવેલા, મને માનતા, અને પૂજતા મારા જ લોકો, આ કઈ દિશામાં જાય છે ❓️ - Shailesh Joshi
જીવનમાં સુખ અને દુઃખ આવવાના, કે જવાના મુખ્ય આધાર બેજ છે, એક આપણા વિચારો, અને બે, એના પર આપણે કરેલ અમલ. - Shailesh Joshi
જીવનમાં સત્યના માર્ગ ઉપર આગળ વધવા માટે ભરાતા પગલાની "ગતિ" ભલે અતિ ધીમી હોય, પરંતુ એમાં મળતી "પ્રગતિ" હરણફાળ હોય છે. - Shailesh Joshi
जो मन से करीब होते हैं, वो वाकई में अजीज होते हैं क्योंकि, वह यदि गरीब भी हो, मगर इसके बावजूद वह एकदूसरे के प्रति अच्छी भावना में बहुत ही अमीर होते हैं. - Shailesh Joshi
ચારેબાજુથી ભરાઈ જવાવાળી પરિસ્થિતિ તો એ લોકોને જ મળે છે, જે જિંદગીના મેદાનની વચ્ચોવચ રહીને જીવનના બધાજ પડકારો સામે લડે છે, પછી ભલે એમાં એ હારે કે જીતે, બાકી કિનારે કિનારે ચાલીને તો ક્યાં કોઈ જીંદગી પૂર્ણ પણે ખીલે છે ? - Shailesh Joshi
સમય વ્યક્તિઓ અને માહોલ બદલવાની બધીજ મથામણો કરીને થાક્યો, છતાં મારા જીવનમાં એટલો ફેર ન જોવા મળ્યો, જેટલો ફેર સમયાંતરે જીવનમાં આવતી રહેતી નાની મોટી મગજમારીઓ, અને રોજના ધાંધિયાઓને સહજ રીતે સ્વીકારી લેવાની તૈયારી બતાવ્યા પછી જોવા મળ્યો. - Shailesh Joshi
જે સ્થિતિમાં છીએ એજ સ્થિતિમાં "થોડા સમયમાં જ" જીવવાની મજા આવવા લાગશે, બસ વધારે કંઈ નહીં, આજથી જ વાત કોઈપણ હોય, સાચું ખોટું કરાવવાની આદત છોડી દો. - Shailesh Joshi
"રૉકેટમાં" ઉપર સુધી પહોંચવાની સામગ્રી ભરી હોય છે, પરંતુ એ રૉકેટ પોતાની ઊંચાઈ પર પહોંચવાની ક્ષમતા ત્યારે જ બતાવી શકે, કે જ્યારે એ રૉકેટમાં વાટ લાગેલી હોય, બાકી તો એ રૉકેટમાં ભરેલી બધી સામગ્રીની "વાટ" લાગી જાય. મનુષ્ય જીવનમાં પણ "આવડત એ રૉકેટ છે, અને તક એ વાટ" - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser