The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વિકટ પરિસ્થિતિમાં જ્યારે કોઈજ વ્યક્તિ મદદે ના આવે ત્યારે "એ" મદદે આવે, અને જો કાયમ માટે આપણે એને નજર સામે રાખીને જીવીએ તો એવી પરિસ્થિતિ જ ના આવે. - Shailesh Joshi
અહીંથી શરૂ થાય છે જીવનમાં સુખ અને શાંતિ આવવાની શરૂઆત અચૂક જુઓ આ "યુ-ટ્યુબ life changer quotes motivation shorts" આવા સુવીચાર પસંદ હોય તો.... like Share & Subscribe This Chenal https://youtube.com/shorts/oIiqkHIY8rU?si=8cWO0rD5iP7gatig
🙏પ્રત્યેક માતા-પિતાએ યાદ રાખવા જેવું🙏 કે આપણે માત્ર આપણાં સંતાનો ખુશ રહે એવું નથી કરવાનું, પરંતુ એની સાથે-સાથે આપણું સંતાન એના સંતાનોને પણ ખુશ રાખી શકે એવું બનાવવાનું છે. - Shailesh Joshi
📢 આ ભૂલ બહુ મોંઘી પડી શકે છે, સંતાનને પણ, અને મા-બાપને પણ આપણે આપણા સંતાનને ભલે ગમે તેટલી મોંઘી વસ્તુઓ લાવી આપીએ, પછી એ મોબાઈલ હોય, બાઈક હોય, કે પછી ગાડી હોય, કોઈપણ વસ્તુ કેમ ના હોય. પરંતુ જો એ સંતાન જે તે વસ્તુની કિંમત જાણતું હોય, અને એ વસ્તુ ખરીદવા માટે મારા મા-બાપે દુકાનદારને જે રૂપિયા આપ્યા, એ રૂપિયા મારા મા-બાપની કેટલી મહેનત કર્યા પછી, કે કેટલો પરસેવો પાડ્યા પછી આવ્યા છે ? બસ એકવાર આ બે બાબતોનું જ્ઞાન સંતાનમાં આવી જાય, પછી સંતાન જે માંગે એ લાવી આપવામાં ક્યારેય, કોઈ જ વાંધો નથી આવતો.
સંબંધોમાં સૌથી વધારે થતી એક એવી ભૂલ, કે જે આપણને હંમેશાં પરસ્પરની સાચી લાગણી, અને એકબીજાનાં સાચા પ્રેમની અનુભૂતિથી દૂર રાખે છે. એ ભૂલ એટલે..... 1 - કોને કેટલી છૂટ આપવી ? અને 2 - કોની ઉપર કેટલો વિશ્વાસ મૂકવો ? આ બે બાબતોમાં આપણે જ્યારે સામેના વ્યક્તિનો કોઈપણ પ્રકારનો અનુભવ કર્યાં વગરજ અગાઉથી જાતેજ નક્કી કરી લેવું, ને પછી એ નિર્ણય પર જ કાયમ ( અડગ ) રહેવું. આ બહુજ ખોટું છે, કારણકે આના કારણે આપણને જે નુકશાન થાય છે, એ નુકશાન સામેના વ્યક્તિ પર એક વાર વિશ્વાસ મૂક્યા પછી મળતા વિશ્વાસઘાત કરતા અતિશય મોટું હોય છે, અને કાયમી પણ. માટે કોઈપણ સંબંધમાં આપણને સામેની વ્યક્તિ પસંદ હોય, અથવા તો આપણને એના વગર ચાલે એમ ના હોય તો એક બે વાર એ વ્યક્તિ પર પૂર્ણ વિશ્વાસ મૂકી જોવો, પછી ભલે એમાં આપણને કોઈપણ પ્રકારનું થોડું ઘણું નુકશાન જવાનો ડર હોય, કેમકે આવું કરવાથી આપણને બે વાતનો ખુલાસો મળી રહેશે. 1 - કાંતો આપણો ડર સાચો હતો કે ખોટો એ આપણને જાણવા મળશે, અને 2 - કાંતો આપણે સામેની વ્યક્તિ પર મુકેલ વિશ્વાસમાં એ વ્યક્તિ જ્યારે ઉણો ઉતરે પરંતુ જ્યારે એ વ્યક્તિ એના ઉણા ઉતારવાનું સાચું કારણ આપણને જણાવે ત્યારે એવું પણ બને કે, આપણે એના વિશે અગાઉથી બાંધેલી ધારણામાં આપણે પોતેજ ખોટા હતા એનો આપણને એહસાસ થઈ જાય.
આપણા કોઈ ખાસ કામમાં એક કરતા વધારે અડચણો અને એ પણ વારંવાર આવે એનો અર્થ એકજ કે, પ્રભુની સીધી નજર આપણી ઉપર છે, અથવા તો એમ પણ કહી શકાય કે, આપણે આપણા અગત્યના કામમાં આપણને સફળતા મળે એના માટે આજ સુધી પ્રભુને જેટલી પણ પ્રાર્થનાઓ કરી છે, એ બધી પ્રાર્થનાઓની ફાઇલ પ્રભુએ એમના હાથમાં લીધી છે, અને એના અનુસંધાને જ પ્રભુ આપણને આપણા જીવનમાં એક પછી એક નાની મોટી તકલીફો, કે અવરોધો આપીને એ ચકાસી રહ્યા છે કે, આપણે આપણા જે કામમાં સફળ થવા માંગીએ છીએ, એના માટે આપણે કેટલા તૈયાર છીએ ? કે પછી બીજી રીતે એમ પણ કહી શકાય કે, આપણે આપણા જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગીએ છીએ એની સામે આપણે એમાં લાગતો શ્રમ, સમય અને બીજું ઘણું બધું, કેટલું, અને ક્યાં સુધી આપી શકીએ છીએ ? માટે..... હવે પ્રભુના હાથમાં રહેલ આપણી એ પ્રાર્થનાઓની ફાઇલને આપણે, આપણી સફળતા સુધી ખુલ્લી રખાવવી, કે બંધ કરાવવી એ આપણા હાથમાં છે.
લગ્નજીવન કેવી રીતે સચવાય ? અને ઘરસંસાર ચલાવવા માટે શું શું કરવું જોઈએ ? ટૂંકમાં પ્રેમ, લાગણી અને સંઘર્ષ એટલે શું ? અને એ કેવો હોવો જોઈએ ? આ બધુંજ જાણવા માટે આપણે ક્યાય વધારે દૂર જવાની જરૂર નથી ? બસ ખાલી આપણે "આપણા માતા-પિતાના જીવનને અનુસરીશું" તો આપણાં જીવનમાં આવવાવાળી "બધીજ સમસ્યાઓને આપણે પહોંચી વળીશું" - Shailesh Joshi
જો તમારામાં ધીરજનો અભાવ હોય તો અમુક ક્ષેત્રોમાં ખાલી કામ કરવાનું નહીં શીખતા, કેમકે..... તમારામાં કામ કરવાની ગમે તેટલી સારી ફાવટ હશે તો પણ, જો તમારામાં કામ કઢાવવાની આવડત નહીં હોય તો પારકા ભરોસે નૈયા પાર કરવી અતિ કઠિન સાબિત થઈ શકે છે. - Shailesh Joshi
જરૂરી નથી કે ગુસ્સો હંમેશા સામેવાળી વ્યક્તિને જ તકલીફ આપે, કેમકે ગુસ્સાનો એક પ્રકાર એવો છે જે, ગુસ્સો કરવાવાળાના દિલ પર બહુ મોટી અને ઊંડી અસર કરતો હોય છે, કારણકે એ ગુસ્સામાં અનહદ લાગણી છુપાઈ હોય છે. - Shailesh Joshi
ધુધળું ભવિષ્ય પણ સ્પષ્ટ થવા લાગશે, જ્યારે પરસેવો દેખાવા, અને મનમાં કષ્ટનો અનુભવ થવા લાગશે. - Shailesh Joshi
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser