Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.9k)

આજકાલ વર્તમાન
સ્ક્રિનમાં જીવાતું જાય છે, એમાં ને એમાં
ભૂતકાળ ભૂલાતું ને
ભવિષ્ય ભૂંસાતું જાય છે.


- Shailesh Joshi

Read More

આપણી દરેક સમસ્યા સાથે "બે" હું શું કરું ?
જોડાયેલા હોય છે, એકમાં
બહાર નીકળવાનો રસ્તો હોય છે, અને બીજામાં
સમસ્યાને મોટી કરવાની તાકાત, એનું પરિણામ એ વાત પર નિર્ભર હોય છે કે, આપણે
કયા રસ્તા વિશે વિચારીએ છીએ ?
- Shailesh Joshi

Read More

સંબંધો માટે જ, પૈસો ભેગો કરતા કરતા
સંબંધોથી એ છૂટો પડતો જાય છે, ને
જ્યારે થોડા ભેગા થાય ત્યાં સુધીમાં તો
એ એકલો પડી જાય છે,
ખબર નથી આ પૈસો, અને સંબંધો વચ્ચે
"એવું શું થઈ જાય છે ?"
- Shailesh Joshi

Read More

વાપરવા માટે પૈસા ના હોય, અને
પૈસા હોય પણ વાપરવા ના હોય,
આ બંનેમાં જો ખાલી વાત, અને
પરિસ્થિતિ અલગ રહેતી હોય,
ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો,
ખરી તકલીફ એ છે કે,
ચહેરાના હાવભાવ પણ
"અલગ તરી આવે છે"
- Shailesh Joshi

Read More

કંઈક પ્રેમીઓ
સુખી લગ્નજીવન માણતા નથી,
કેમકે
પ્રેમની શરૂઆત વખતે,
એ લોકો
લાંબુ વિચારતા નથી.
- Shailesh Joshi

આપણે ઈચ્છીએ એમ
જીવન ના હાલે, માટે
સમય કરાવે એમ કરેજા
તું ખોટું ટેન્શન ના લે
છતાં ખબર ના પડે,
તો આ એક વાત પર ચાલ,
કે આજનું કામ આજે, ને
કાલની વાત કાલે
- Shailesh Joshi

Read More

જ્યારે જે મળે
અમે અમારું દાણા પાણી શોધી લઈએ છીએ,
મુક્ત મને ખુશી વ્યક્ત કરીએ છીએ,
ને ફરિયાદો કરવાનું રોકી લઈએ છીએ.
- Shailesh Joshi

Read More

प्राथना ये न करे कि,
हे प्रभु बस इतना करना की मेरे जीवन में
कोई परेशानीया न आए, बल्कि
ये प्राथना करना कि हे प्रभु
मेरे जीवन में भले ढेर सारी परेशानियां आए,
मगर मुजे उस सारी परेशानियों में से बाहर आने का रास्ता मिले.
- Shailesh Joshi

Read More

આપણે આપણા સંતાનોના સારા ભવિષ્ય માટે ભલે કરોડો રૂપિયા ભેગા કરીએ, પરંતુ
જ્યાં સુધી આપણા સંતાનોને એમના જીવનના અલગ અલગ પડાવે અણધાર્યા આવતા ગમે તેવા સમય અને સંજોગો વખતે, જેમકે
સામાજિક સાંસારિક વ્યવહારિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આવતા ઉતાર ચઢાવ વખતે
શું સારું અને શું ખરાબ ? એનું જ્ઞાન નહીં હોય તો ભલે એમની પાસે કરોડોની સંપત્તિ હશે, છતાં
એના જીવનમાં સુખ અને શાંતિ કાયમી સ્થાયી થવી અસંભવ છે,
આનાથી વિપરીત જો આપણા સંતાનોને દુનિયાદારીનું સંપૂર્ણ જ્ઞાન હશે, તો પછી ભલે એમની પાસે પૈસો થોડો ઓછો હશે, પરંતુ સુખ અને શાંતિ
એતો ભરપૂર જ રહેશે.

Read More

નિરાશા અંતરમાં છુપાવી રાખવાની બાબત છે,
કેમકે જો એ એકવાર જાહેર થઈ ગઈ
પછી એમાંથી બહાર નીકળવું
થોડું વધારે મુશ્કેલ બની જતું હોય છે.
- Shailesh Joshi

Read More