The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
मुसीबतें तकलीफें या गरीबी न सिर्फ कर्म का फल होती है, लेकिन वह कभी कभी हमारे जीवन की उन्नती की कल भी हो सकती है, और ऐसे हालात में से बहार निकलने के लिए, हर किसीके सामने दो रास्ते होते हैं एक होता है सही रास्ता, और दूसरा रास्ता होता है गलत रास्ता. हाँ सही रास्ता अक्सर कठिन होता है और गलत रास्ता फिलहाल आसान लगता है, मगर..... यदि हम कठिन रास्ता चुनते हैं तो हमारा आगे का रास्ता अपनेआप आसान होता जाता है, लेकिन जब हम अभी आसान रास्ता ( गलत ) चुनते हैं, तो हमारे जीवन के आगे के रास्ते न सिर्फ कठिन बनते जाते हैं, साथ ही साथ रास्ते कम, और हम अकेले और निस्सहाय भी होते जाते हैं.
તમે, હું કે પછી કોઈપણ વ્યક્તિ, આપણે સૌ સમય, સંજોગો અને લોકોના ભરોસે હોઈએ છીએ, જ્યારે આપણી જિંદગી....એતો સદાયને માટે માત્રને માત્ર આપણા જ ભરોસે હોય છે, માટે એને કષ્ટ થાય, વેડફાય, કે પછી એ એકે બાજુની ન રહે એવા સમયનું નિર્માણ ઊભું થાય, એવું એકપણ કામ કરતા પહેલાં સો વાર વિચારવું, અને જો આપણે આપણી જિંદગીને ખરેખર દુઃખ ન થાય એવું ઇચ્છતા હોઈએ, તો આજીવન આ એક વાતનો સ્વીકાર કરી, સમગ્ર જીવન જીવવું કે, આપણને જીવન આપવાવાળા ખુદ ઇશ્વર છે, માટે હરહંમેશ ઉપરવાળા ઉપર ભરોસો રાખી, જ્યારે જ્યારે આપણને સાચા રસ્તે આપણા જીવનને ખુશ રાખવાના આપણા પ્રયત્નો એળે જતા દેખાય, ત્યારે એકપણ વાર, ખોટો રસ્તો શોધવાને બદલે, બધું ઈશ્વર પર છોડી દેવું, આમ કરવાથી આગળ જતાં આપણે જોઈશું કે, કોઈને કોઈક સાચો રસ્તો ખુદ ઈશ્વર જ આપણને બતાવશે, માટે ખરાબ સમયમાં થોડી ધીરજ રાખવી, કેમકે ઈશ્વરના દરબારમાં દેર છે, અંધેર નહીં.
જો આપણે ઈશ્વરની પરમ કૃપાની અનુભૂતિ ઈચ્છતા હોઈએ, તો ભલાઈ કરતા રહેવું, ને જો એમ કરતાં ક્યારેક કદાચ અપયશ પણ મળે, તેમ છતાં, કોઈને કંઈ પણ ન કહેવું, બસ ભલાઈનું કામ ચૂપચાપ કરતા રહેવું. - Shailesh Joshi
મારો તમારો કે પછી કોઈનો પણ, જીવનમાં સમજદારી કેળવ્યા વિના ઉધ્ધાર નથી, અને આ વાત જેટલી વહેલી સમજાય, એના જેવી સમજદારી તો બીજી એકે નથી. - Shailesh Joshi
રોજગાર માટે શહેરમાં આવ્યા પછી નોકરી કે ધંધાની શરૂઆત કરીએ, એ દિવસથી જ એક વાત યાદ રાખવી કે, જેમ જેમ નોકરીમાં વેતન, કે ધંધામાં વળતર વધે, તેમ તેમ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું, નહીં તો આપણી આર્થિક સ્થિતિ આપણા નિયંત્રણ બહાર જવાની સંભાવના વધી જતી હોય છે, માટે વેતન અને વળતરનું જતન કરવું, નહીં તો વતનમાં પાછા જવાનો વારો પણ આવી શકે છે. 😁 - Shailesh Joshi
ગમતું વ્યક્તિ શોધવાની અને એની સાથે સંબંધો મજબૂત બનાવવા માટેની સરળ રીત જુઓ આ ફેસબૂક motivation રીલ https://www.facebook.com/share/r/183wgLJQGF/
આપણા સૌના જીવનનો મોટાભાગનો સમય બે જગ્યાએ વપરાઈ જાય છે, એક તો "અન્યો"થી આશાઓ રાખવામાં, અને પછી જ્યારે એ આશાઓ પૂરી ન થાય, ત્યારે આપણે કરેલો અફસોસ બાકીનો ઘણો સમય ખાઈ જાય છે. - Shailesh Josh
પુસ્તક વાંચવામાં જેટલો સમય લાગે છે, એનાથી વધારે સમય એને લખવામાં લાગે છે, અને પુસ્તકમાં જે લખાણ હોય એ જીવવામાં તો વર્ષોના વર્ષો, કે પછી પૂરું જીવન લાગતું હોય છે, આપણું મન પણ એક વણ લખાયેલ પુસ્તક જેવું હોય છે, માટે જો આપણે આપણા સમયની રાહ જોતા હોઈએ કે, આપણો સમય ક્યારે આવે, તો એના માટે એક કામ તો આપણે કરવું જ રહ્યું, કે આપણો સમય ન આવે ત્યાં સુધી આપણે ધીરજ અને શાંતિ સાથે આપણને સાચવવા પડશે. - Shailesh Joshi
રસ્તાઓ બદલવાથી નહીં, પરંતુ કઠિન રસ્તાઓ પાર કરવાથી જ જીવન સાર્થક થાય છે, માટે જો ખરેખર સારા ભવિષ્યની સાચી ચિંતા હોય તો એટલું યાદ રાખવું કે, ગમે તેવા વિપરીત, કે પ્રતિકૂળ સંજોગો વખતે, નિરર્થક ખોટા, કે અવળા રસ્તાઓ શોધવા એ આપણા સમય, શક્તિ અને ભવિષ્ય ત્રણે માટે નુકશાનકારક છે. - Shailesh Joshi
1M સુધી પહોંચાડવા બદલ... આભાર સહ Matrubharti ની પૂરી ટીમ, અને સૌ વાચક મિત્રોને મારા પ્રેમ અને લાગણીભર્યા, દિલથી નમસ્કાર🙏
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser