Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(2.3m)

નોકરી વ્યવસાયમાં પ્રમાણિકતા
અને સમજદારી પૂર્વક ખર્ચ,
આ બંને જીવનમાં,
કાયમી શાંતિ સ્થાપવા માટેનો
ઉત્તમ માર્ગ છે.
- Shailesh Joshi

Read More

પ્રત્યેક અલગ અલગ વ્યક્તિની જીવનકથા
પ્રભુએ લખેલી હોય છે, જે ભજવ્યા સિવાય
કોઈનો છૂટકો નથી, માટે જીવનમાં કોઈ વિપરીત પરિસ્થિતિ વખતે એમાં ફાયદો ભલે ના દેખાતો હોય, પરંતુ ખરેખર થતાં નુકસાન કરતા વધારે નુકસાનથી બચવું હોય તો, અમુક વિકટ સંજોગોનો સામનો, કે સહન કરી લેવા બાકી અન્ય કોઈપણ પ્રકારના રસ્તાઓ કે તોડ ના શોધવો, કારણ કે, એમાંજ સાચી સમજદારી છે.
- Shailesh Joshi

Read More

દુઃખોની ગણતરીઓ, અને સુખોના સરવાળા કરવામાં
જીવનમાંથી શાંતિની બાદબાકી જ થતી હોય છે, બાકી હયાત સ્થિતિ પ્રમાણે જીવવામાં જ...
જીવનની ખરી મજા મળતી હોય છે, અથવા તો ધીરે ધીરે આવતી હોય છે.
- Shailesh Joshi

Read More

જો આપણે ઘણા લાંબા સમયથી
કોઈ કામમાં અતિ વ્યસ્ત રહેવા છતાં, અથાગ પરિશ્રમ કરવા છતાં,
જો આપણને આજે પણ એમ લાગતું હોય કે,
આપણે જે ઈચ્છીએ છીએ,
એમાં હજી કંઈક ખૂટે છે, તો.....
તો એનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે, આપણી શક્તી, આપણો સમય અને આપણી આવડત, અવળી દિશામાં ખર્ચાઈ રહ્યો છે, અને આમ થવા પાછળનું કારણ એજ કે,
આપણામાં ધીરજનો અભાવ, પોતાની આવડત ઉપર વિશ્વાસની કમી, અને લોકો આગળ નીકળી જશે, અને હું પાછળ રહી જઈશ, મતલબ કે,
નિષ્ફળ જવાનો ડર.....ઘર કરી ગયો છે.
એના માટે
શ્રધ્ધા અને સબૂરી સાથે મહેનત ચાલું રાખવી, અને પ્રયત્ન....
એ તો
ક્યારે કરવા ?
કેટલા કરવા ? અને
કેવા કરવા ?
એ પહેલાં શીખી લેવું.
ભલે મોડું, પરંતુ ધાર્યું પરિણામ તો આટલું કર્યા પછી જ પ્રાપ્ત થશે.

Read More

🙏સળગતો પ્રશ્ન🙏
સંતાનને એની પસંદગી પ્રમાણે જીવનસાથી પસંદ કરવાની છૂટ આપવી એમાં કંઈજ ખોટું નથી, પરંતુ એ જે પાત્ર પસંદ કરે છે, એની પાછળનું મૅજિક, લૉજિક, કે પછી સાદી ભાષામાં કહીએ તો, એનું ગણિત શું છે ? એ જાણવું પ્રત્યેક માતા-પિતા માટે ખૂબજ જરૂરી છે,
કેમકે મુખ્યત્વે એની ઉપર જ, જે તે સંતાનનું ભવિષ્ય નિર્ભર કરે છે, સાથે-સાથે મા-બાપની ચિંતામાં, અને ઘર પરિવારની આબરુમાં વધારો, કે ઘટાડો કરતું પરિબળ પણ એમાં જ છુપાયું હોય છે, ને વિશેષમાં આપણા સમાજનું સામાજિક માળખું, સભ્યતા, અને સંસ્કૃતિને પણ હાનિ પહોંચી શકે છે.
- Shailesh Joshi

Read More

આટલું કરવાથી જીવનમાં
ખરાબ સમય પણ નહીં નડે,
અને એકપણ મોજશોખ
ક્યારેય મોંઘો પણ નહીં પડે,
શરત માત્ર એટલી જ કે,
સંજોગોવસાત જ્યારે
મોજશોખ કરવા ના મળે,
ત્યારે આપણને સહેજે તકલીફ ના પડે એ પ્રમાણે અંદરથી પહેલાં તૈયાર થવું પડે. પછી હરો ફરો ને
મનફાવે એ
મોજશોખ પણ કરો.

Read More

પ્રેમ K પ્રેમ...લગ્ન નિષ્ફળ કે સફળ રહેવાનું કારણ એકજ કે....."એ લોકો લાંબુ નથી વિચારતા" નિષ્ફળ જવાવાળા પ્રેમમાં પડતાં, કે પ્રેમલગ્ન કરતા પહેલા, ને સફળ થવાવાળા પ્રેમમાં પડ્યા, કે પ્રેમલગ્ન કર્યા બાદ.
એતો એમના જીવનમાં નાની મોટી જે મુસીબતો આવે,
એને પહોંચી વળવા માટે ભલે તેઓ સક્ષમ હોય કે ન હોય, તો પણ એ બંને,
હંમેશા તૈયાર તો રહેતા જ હોય છે."
- Shailesh Joshi

Read More

જો આપણને આપણા જીવનમાં કોઈ એવો પ્રશ્ન, જે ખૂબ લાંબા સમયથી મૂંઝવી રહ્યો હોય, તો એનો સારો અને સાચો ઉકેલ એકજ કે, એને સમય પર છોડી દેવો, આમ કરવાથી આપણને ફાયદો એ થશે કે, કાંતો એ પ્રશ્નનું આપણને કોઈ સારું નિરાકરણ મળશે, અથવા તો એ વાતને ભૂલવાની ચમત્કારિક શક્તિ.
- Shailesh Joshi

Read More

ત્યજવું, ભૂલવું અને છોડવું
આ ત્રણમાં જેણે
PHD કરી લીધી,
સમજો અનંત પ્રેમની સીડી
એણે ચડી લીધી.
- Shailesh Joshi

ફરિયાદો બે પ્રકારની હોય,
એક કે જેમાં આપણે હારી ના જઈએ
એનું ધ્યાન રાખવું પડે છે, જ્યારે
બીજા પ્રકારની ફરિયાદમાં,
સામેનું પાત્ર ના માત્ર હારે,
પરંતુ એની સાથે-સાથે
એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે,
સામેવાળા પાત્રને જરા સરખી પણ,
કોઈ તકલીફ ના પડે, અને એનેજ
પ્રેમ, इश्क કે love કહેવામાં આવે છે.
- Shailesh Joshi

Read More