The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજકાલ વર્તમાન સ્ક્રિનમાં જીવાતું જાય છે, એમાં ને એમાં ભૂતકાળ ભૂલાતું ને ભવિષ્ય ભૂંસાતું જાય છે. - Shailesh Joshi
આપણી દરેક સમસ્યા સાથે "બે" હું શું કરું ? જોડાયેલા હોય છે, એકમાં બહાર નીકળવાનો રસ્તો હોય છે, અને બીજામાં સમસ્યાને મોટી કરવાની તાકાત, એનું પરિણામ એ વાત પર નિર્ભર હોય છે કે, આપણે કયા રસ્તા વિશે વિચારીએ છીએ ? - Shailesh Joshi
સંબંધો માટે જ, પૈસો ભેગો કરતા કરતા સંબંધોથી એ છૂટો પડતો જાય છે, ને જ્યારે થોડા ભેગા થાય ત્યાં સુધીમાં તો એ એકલો પડી જાય છે, ખબર નથી આ પૈસો, અને સંબંધો વચ્ચે "એવું શું થઈ જાય છે ?" - Shailesh Joshi
વાપરવા માટે પૈસા ના હોય, અને પૈસા હોય પણ વાપરવા ના હોય, આ બંનેમાં જો ખાલી વાત, અને પરિસ્થિતિ અલગ રહેતી હોય, ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો, ખરી તકલીફ એ છે કે, ચહેરાના હાવભાવ પણ "અલગ તરી આવે છે" - Shailesh Joshi
કંઈક પ્રેમીઓ સુખી લગ્નજીવન માણતા નથી, કેમકે પ્રેમની શરૂઆત વખતે, એ લોકો લાંબુ વિચારતા નથી. - Shailesh Joshi
આપણે ઈચ્છીએ એમ જીવન ના હાલે, માટે સમય કરાવે એમ કરેજા તું ખોટું ટેન્શન ના લે છતાં ખબર ના પડે, તો આ એક વાત પર ચાલ, કે આજનું કામ આજે, ને કાલની વાત કાલે - Shailesh Joshi
જ્યારે જે મળે અમે અમારું દાણા પાણી શોધી લઈએ છીએ, મુક્ત મને ખુશી વ્યક્ત કરીએ છીએ, ને ફરિયાદો કરવાનું રોકી લઈએ છીએ. - Shailesh Joshi
प्राथना ये न करे कि, हे प्रभु बस इतना करना की मेरे जीवन में कोई परेशानीया न आए, बल्कि ये प्राथना करना कि हे प्रभु मेरे जीवन में भले ढेर सारी परेशानियां आए, मगर मुजे उस सारी परेशानियों में से बाहर आने का रास्ता मिले. - Shailesh Joshi
આપણે આપણા સંતાનોના સારા ભવિષ્ય માટે ભલે કરોડો રૂપિયા ભેગા કરીએ, પરંતુ જ્યાં સુધી આપણા સંતાનોને એમના જીવનના અલગ અલગ પડાવે અણધાર્યા આવતા ગમે તેવા સમય અને સંજોગો વખતે, જેમકે સામાજિક સાંસારિક વ્યવહારિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આવતા ઉતાર ચઢાવ વખતે શું સારું અને શું ખરાબ ? એનું જ્ઞાન નહીં હોય તો ભલે એમની પાસે કરોડોની સંપત્તિ હશે, છતાં એના જીવનમાં સુખ અને શાંતિ કાયમી સ્થાયી થવી અસંભવ છે, આનાથી વિપરીત જો આપણા સંતાનોને દુનિયાદારીનું સંપૂર્ણ જ્ઞાન હશે, તો પછી ભલે એમની પાસે પૈસો થોડો ઓછો હશે, પરંતુ સુખ અને શાંતિ એતો ભરપૂર જ રહેશે.
નિરાશા અંતરમાં છુપાવી રાખવાની બાબત છે, કેમકે જો એ એકવાર જાહેર થઈ ગઈ પછી એમાંથી બહાર નીકળવું થોડું વધારે મુશ્કેલ બની જતું હોય છે. - Shailesh Joshi
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser