આ સ્થળ પર 11 મુઠી માટી હટાવતા પ્રગટ થયા હતા હનુમાનજી
ભારત વિભિન્નતાનો દેશ છે. અહીં તેમના ધર્મોના લોકો રહે છે એટલા માટે અહીં અસંખ્ય ધાર્મિક સ્થળ છે પરંતુ હિન્દુ દેવી દેવતાઓના મંદિર માત્ર ભારતમાં જ પરંતુ આખા વિશ્વમાં આવેલા છે ત્યારે જાણો પાકિસ્તાનમાં એક એવું હનુમાન મંદિર આવેલુ છે જે ભારતીય લોકોનું કેન્દ્ર બનેલું છે.
હનુમાનજીનું મંદિર દુનિયાભરમાં આવેલું છે. જેમાંથી ઘણાં મંદિરોનું નિર્માણ ઘણાં વર્ષો પહેલા થયેલું છે અને ઘણાં મંદિર લાખો વર્ષોથી બચ્યા છે. હનુમાનજીનું એવું જ એક મંદિર પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલું છે. કરાચીના હનુમાન મંદિરનો ઇતિહાસ અત્યંત જૂનો છે. કહેવામાં આવે છે આ મંદિરના પંચમુખી હનુમાનદાદાની મુર્તિ લગભગ હજારો વર્ષો જુની છે. ત્યાં આ સ્થળને લઇને પણ માન્યતા પણ પ્રચલિત છે કે ત્યાં શ્રી રામનું પણ ચરણ પડ્યું છે. ભારત-પાકિસ્તાન વિભાજન દરમિયાન આ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજીના દર્શન માટે સવારથી સાંજ સુધી પાકિસ્તાનમાં રહેલા હિન્દુ ભક્તોની પણ ભીડ જોવા મળે છે.
11 મુઠી માટી હટાવવા પર પ્રકટ થઇ હનુમાનજીની મુર્તિ
માનવામાં આવે છે કે જે સ્થળ પર આ મંદિર છે, ત્યાંથી 11 મુઠી માટી હટાવવા પર આ પંચમુખી હનુમાનજીની મુર્તિ પ્રગટ થઇ હતી. આ મંદિરનો વધુ અંક 11 સાથે સંબંધિત છે. આ મંદિરમાં ભગવાન હનુમાનદાદાની 11 પરિક્રમા લગાવવા પર ભક્તોની પણ સમસ્યાઓ દુર થાય છે અને તેમની દરેક ઇચ્છાઓ પુરી થઇ જાય છે.
1882માં કરવામાં આવ્યું હતું મંદિરનું પુનઃનિર્માણમાન્યતાઓ અનુસાર, આ મંદિર ઘણાં વર્ષો જૂનુ છે, પરંતુ આ મંદિરનો ઇતિહાસ 18મી સદી સાથે જોડાયેલો છે. આ મંદિરનું વર્ષ 1882માં પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું