જાણો હસ્ત રેખા શુક્રનો પર્વત
શુક્રનો પર્વત આરોગ્ય અને આનંદ આપે છે. શુક્રનો પર્વત ઉંચો હોય તો વ્યક્તિ સ્વાર્થી, વિષયી, વસ્ત્રોનો અને ખાનપાનનો શોખીન હોય છે.
પ્રત્યેક વ્યક્તિના હાથનાં અંગુઠાના મુળમાં આયુષ્ય રેખાની અંદર શુક્રનો પર્વત આવેલ છે . સર્વ પર્વતો શુક્રના પર્વતનો વિસ્તાર વધારે હોય છે.જે વ્યક્તિ નાં હાથમાં અન્ય સર્વ પર્વતો કરતા શુક્ર નો પર્વત વિસ્તાર અધિક ઉન્નત દેખાતો હોય તો શુક્રનાં વર્ગ વાળી ગણાય છે. આ પ્રકારની વ્યક્તિ શુક્રનો પ્રભાવ વધારે હોય છે વિકસિત શુક્ર વાળી વ્યક્તિ આનંદ એશા અારામ આપે છે. તેઓ વિલાસપ્રિય કામી સ્વચ્છંદી હોય છે. પણ સાથે પરોપકારી, સહાનુભુતિ ધરાવનાર અન્ય ને આકર્ષિત કરનાર હોય છે . શુક્ર વર્ગ વાળી વ્યક્તિ સંગીતકાર કલાકાર સુત્રધાર, સ્ત્રી સૌદર્યપ્રસાધન બનાવનાર હોય છે.
શુક્રનો પર્વત પ્રમાણ કરતા વધુ ઉંચો હોય તો તે વ્યક્તિ કામી, સ્વાર્થી વસ્ત્ર અને ખાન પાનનો શોખીન તેમજ મોજ મસ્તી માં રહેનાર વ્યક્તિ હોય છે. જેની હથેળીમા,ગુરૂ અને શુક્ર નો પર્વત અધિક ઉંચા હોય તો વ્યક્તિ સમાજ માં પ્રતિષ્ઠા ભર્યુ સ્થાન મેળવે છે . શુક્રના પર્વત પર તારાનુ ચિંહ જમણા હાથમાં હોય તો તે વ્યક્તિનાં પિતાનુ નાનપણમાં મૃત્યુ થાય જ છે. જો તારાનુ નિશાન ડાબા હાથમાં હોય તો માતાનુ મૃત્યુ થાય છે જો ક્રોસનુ નિશાન હોય તે વ્યભિચારી નહી પરંતુ એકજ સ્ત્રી નાં પ્રેમપાશમા ફસાયેલ હોય છે