Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Why Damaged Shivling Was Worshiped?

1 અંગ્રેજે આ શિવલિંગ તોડતા ગુમાવ્યો’તો જીવ, આજે ખંડિતરૂપે થાય છે પૂજા

આપણાં શાસ્ત્રોમાં ભગવાન શિવ સહિત કોઈ પણ દેવતાની ખંડિત મૂર્તિની પૂજા કરવા ઉપર પ્રતિબંધ છે, પરંતુ શિવલિંગ એક અપવાદ છે. શિવલિંગ ગમે તેટલું ખંડિત કેમ ન હોય તો કાયમ પૂજનીય છે. તેનો જીવંત ઉદાહરણ ઝારખંડના ગોઇલકેરામાં સ્થિત મહાદેવશાલ ધામ મંદિરમાં જોઈ શકાય છે. આ મંદિરમાં છેલ્લા 150 વર્ષથી એક ખંડિત શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આ શિવલિંગની કહાની આશ્ચર્ય પમાડે એવી છે. આ શિવલિંગને તોડવાને કારણે એક બ્રિટિશ એન્ડિનિયરને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

ખંડિત શિવલિંગની રસપ્રદ કહાની

આ કહાની 19મી સદીના મધ્યની છે જ્યારે ગોઇલકેરાના બડેલા ગામની પાસે બંગાળ-નાગપુર રેલવે દ્વારા કલકત્તાથી મુંબઈના વચ્ચે રેલવે લાઇન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તેના માટે જ્યારે મજૂર ત્યાં ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમને ખોદકામ કરતી વખતે એક શિવલિંગ દેખાયું હતું. મજૂરોએ શિવલિંગ જોઈ ખોદકામ બંધ કરી દીધુ અને આગળ કામ કરવાની ના પાડી દીધી, પરંતુ ત્યા હાજર બ્રિટિશ એન્જિનિયર ‘રોબર્ટ હેનરી’ને આ બધુ જ વ્યર્થ લાગ્યુ અને પાવડો ઉપાડી શિવલિંગ ઉપર પ્રહાર કર્યો, જેથી શિવલિંગ બે ટુકડામાં વિભાજિત થઈ ગયુ પણ તેનું પરિણામ સારું ન થયું અને સાંજે કામ પૂરું કરી ઘરે જઈ રહ્યા એન્જિનિયરની રસ્તામાં જ મૃત્યુ થઈ ગઈ.
આ ઘટના પછી મજૂરો અને ગામના લોકોએ રેલવે લાઇનનું ખોદકામનો પૂરજોર વિરોધ કર્યો. પહેલા તો અંગ્રેજ અધિકારીઓ ત્યાં જ ખોદકામ કરવા અડીખમ રહ્યા પરંતુ જ્યારે તેમને અહેસાસ થયો કે આ આસ્થા અ વિશ્વાસની વાત છે અને બળજબરી કરવાના પરિણામ ઊંધા આવી શકે છે તો તેમણે રેલવે લાઇન માટે શિવલિંગથી દૂર ખોદકામ કરવાનો નિર્ણય લીધો. તેના કારણે રેલવે લાઇનની દિશા બદલવી પડી અને બે ટનલનું નિર્માણ કરવું પડ્યું.

શિવલિંગના બે ટુકડાની થાય છે પૂજા

ખોદકામમાં જ્યાં શિવલિંગ નીકળ્યું હતું આજે ત્યાં દેવશાલ મંદિર છે તથા ખંડિત શિવલિંગના મંદિર ગર્ભગૃહમાં સ્થાપિત છે. જ્યારે શિવલિંગનો બીજો હિસ્સો ત્યાંથી બે કિલોમીટર દૂર રતનબુર પહાડ ઉપર ગ્રામ દેવી ‘મા પાઉડી’ની સાથે સ્થાપિત છે અને બંનેની દરરોજ પૂજા-અર્ચના થાય છે. પરંપરા મુજબ પહેલા શિવલિંગ અને તેના પછી મા પાઉડીની પૂજા થાય છે.

ડિત શિવલિંગની પૂજા થઈ શકે પરંતુ ખંડિત શિવ મૂર્તિની નહી, કેમ?

ભગવાન શિવની બે રૂપમાં પૂજા થાય છે મૂર્તિ રૂપમાં તથા શિવલિંગના રૂપમાં. મહાદેવનું મૂર્તિપૂજન ઉત્તમ છે, પરંતુ લિંગ પૂજન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણાં શાસ્ત્રો મુજબ શિવજીનો પ્રતીક શિવલિંગ ક્યાંયથી ટૂટી જવા પર પણ ખંડિત નથી માનવામાં આવતું. આવું એટલા માટે કારણ કે ભગવાન શિવ બ્રહ્મરૂપ હોવાને લીધે નિષ્કળ અર્થાત નિરાકાર કહેવાય છે. ભોળાનાથનો કોઈ રૂપ નથી, તેમનો કોઈ આકાર નથી તે નિરાકાર છે. મહાદેવનો ન તો આદિ છે ન તો અંત. લિંગને શિવજીનું નિરાકાર રૂપ માનવામાં આવે છે. જ્યારે શિવ મૂર્તિને તેમનું સાકાર રૂપ છે. માત્ર શિવ જ નિરાકાર રૂપમાં પૂજાય છે. આ રૂપમાં સમગ્ર બ્રહ્માંડનું પૂજન થઈ જાય છે કારણ કે તે જ સંપૂર્ણ જગતના મૂળ કારણ માનવામાં આવ્યા છે. શિવલિંગ વધારે ટૂટી ગયું હોય છતાય પૂજનીય છે. એટલે દરેક પરિસ્થિતિમાં શિવલિંગનું પૂજન બધી જ મનોકામના પૂર્ણ કરવાવાળું હોય છે. શાસ્ત્રો મુજબ શિવલિંગનું પૂજન કોઈ પણ દિશામાંથી કરી શકાય છે, પરંતુ પૂજન કરતી વખતે ભક્તનું મુખ ઉત્તર દિશા તરફ હોય તો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111369910
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now