Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું છે સિંદૂર લગાવવાની ધાર્મિક પ્રથા અને વૈજ્ઞાનિક કારણ?

દિશા-જ્ઞાન
હિન્દુ ધર્મમાં સિંદૂરને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. પરણેલી મહિલાઓ માટે સિંદૂર ખુબ જ મહત્ત્વના શણગારમાંનું એક છે. સિંદૂરને અંખડ સૌભાગ્યવતી હોવાની નિશાની માનવામાં આવે છે. કહેવામાં આવે છે પાંથીમાં સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર લગાવવાની પ્રથા ક્યાથી આવી ? તો આવો આપણે જાણીએ કે મહિલાઓ સિંદૂર કેમ લાગવા છે તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ વિશે માહિતી મેળવીએ.

ધાર્મિક મહત્ત્વ

સિંદૂર લગાવવાની પ્રથા હિન્દુ ધર્મમાં લાંબા સમયથી ચાલતી આવે છે. હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથ રામાયણ મુજબ, સીતા માતા રોજ સિંદૂર માથા પર લગવાતા હતા. એકવાર હનુમાનજીએ માતા સીતાને પુછયું કે, તમે સિંદૂર કેમ લગાવો છો ? તો તેમણે કહ્યું કે, આનાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ્ય રહેવાથી વ્યક્તિની ઉંમર પણ વધે છે.

લોક માન્યતા

જો પત્નિ સિદૂંર લગાવેલુ હશે તો તેના પતિનું અકાળે મૃત્યુ થતું નથી. સિંદૂર તેના પતિને સંકટથી બચાવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રી અને દીવાળી જેવા મહત્ત્વના તહેવારોના દિવસે પતિ દ્વારા પત્નીની પાંથીમાં સિંદૂર લગાવવાને અત્યંત શુભ માનવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચે હંમેશા ગાઢ સંબંધ બની રહેશે.

સામુદ્રિક શાસ્ત્ર મુજબ

દુર્ભાગ્યાશાળી સ્ત્રીના દોષ નિવારણ માટે સિંદૂર ભરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી સ્ત્રીની સુંદરતામાં પણ વધારો થાય છે.
પુરાણોની કથા મુજબ

સિંદૂરના લાલ રંગથી માતા સતી અને પાર્વતી માતાની ઉર્જા વ્યક્ત કરવામાં આવી છે. તથા એમ પણ કહેવાય છે કે સિંદૂર લગાવવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

સુખ-શાંતિ માટે

સિંદૂરને માતા લક્ષ્મીના સન્માનનું પ્રતિક પણ માનવામાં આવે છે. લક્ષ્મી માતાની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પુરાણો મુજબ, લક્ષ્મી માતા પૃથ્વી પર પાંચ સ્થાનોએ રહે છે. જેમાં પહેલું સ્થાન સ્ત્રીનું માથું છે, જ્યાં તે સિંદૂર લગાવે છે. તેનાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ જળવાઇ રહે છે. માટે જ મહિલાઓને દેવી માનવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ

પુરુષોની સરખામણીમાં મહિલાઓનું આ સ્થાન વધારે સંવેદનશીલ અને કોમળ હોય છે. સિંદૂરમાં પારો હોય છે, જેને શરીર પર લગાવવાથી વિદ્યુત ઉર્જા કંટ્રોલ થાય છે. તેનાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે. સિંદૂર લગાવાથી માથામાં દુખાવો, અનિદ્રા અને મગજને લગતા રોગ પણ દૂર થાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111399597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now