હે ભગવન્... તમે ક્યારેક તો મને દર્શન આપો.
મારે પૂછવું છે તમને
કેમ આ માનવોના મન ત્રાસવાદી બન્યા ?
કેમ માનવો આંતક ફેલાવે છે ?
ક્યાંથી આવ્યા આ નક્સલવાદીઓ ?
કેમ માનવો જ માનવને મારવા પર ઉતર્યા છે ?
કેમ આ માનવે સંસ્કૃતિ ભૂલી વિકૃતિને અપનાવી...
હે ભગવન્... ક્યારે આવશે આનો અંત ?
આ બગડેલી બાજી ક્યારે સુધારીશ ભગવન્...