જ્યોતિષશાસ્ત્રમાં રત્નોનું વિશેષ મહત્વ રહેલું છે તે ગ્રહોના દોષ કે નતડરને ઓછો કે શાંત કરવામાં ઉપયોગી તો થાય છે જ પણ તે સિવાય પણ તે માનવ શરીર પર કેટલીક ઈફ્ફેક્ટ કરે છે. તે માનવ શરીરને મજબૂતી આપવા સાથે સુદ્ઢ બનાવવાનું કામ પણ કરે છે. તમને જાણીને આશ્રર્ય થશે પણ ભારતીય જ્યોતિષ શાસ્ત્ર એ ખરા અર્થમાં વિજ્ઞાન છે. વિજ્ઞાનના ટ્રીગોનોમેટ્રી એટલે કે પ્રિઝમ અને તેમાંથી નિકળતા કિરણોની થીયરી પર રત્નોની રચના અને ઉપયોગ કરવામાં આવે છે. તેના આશ્રર્યકારક પરિણામો પ્રાપ્ત થાય છે. જો તમતે દુર્બળ શરીર ધરાવતા હોય તો તમારે વાદળી ફિરોઝી કલરનો સ્ટોન પહેરવો જોઈએ. તે દેખાવમાં અત્યંત સુંદર અને પારદર્શી હોય છે. તે પહેરવાથી શરીર સુદ્રઢ થવાની સાથે હાડકાને મજબૂત બનાવે છે. તમારામાં રહેલી વિટામિન ડીની ઉણપને વત્તા ઓછા અંશે દૂર કરે છે. જો તમે ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાથી પીડાતા હો. તો તેમાં તમને ઘણોજ આરામ આપનાર નિવડે છે. સાંધાના દુઃખાવામાં પણ રાહત આપે છે. આમ રત્ન શાસ્ત્ર એક અદભૂત ઉપચાર શાસ્ત્ર પણ છે.
ફ્લોઓરાઈટ આ સ્ટોન અત્યંત સુંદર સતરંગી હોય છે. તેની અંદર અનેક રંગોની રોશની દેખાતી હોય છે. આ સ્ટોનનું મુખ્ય કામ હાડકા અને તેનાથી ચોંટેલી આસપાસની માંસપેશીઓમાં મજબૂતાઈ પ્રદાન કરવાનું છે.
પાયરાઈટ આ સોનેરી ચમકીલો પત્થર છે. દૂરથી જોતા તે સોના જેવો જ દેખાય છે. આ પારદર્શી અને અપારદર્શી બંને શ્રેણીમાં મળે છે. આ સ્ટોનને ધારણ કરવાથી હાડકા સાથે જોડાયેલા રોગ દૂર થાય છે. પ્રારંભિક અવસ્થામાં જો બિમારી વિશે જાણી શકાય તો તેને ધારણ કરી શકાય છે. તેનાથી રિપ્લેસમેન્ટ સુધીની સ્થિતિથી બચી શકાય છે.
કૈલ્સાઈટ આ સફેદ, ચળકાટ વાળો પારદર્શી સ્ટોન છે. તેને શરીરને ટચ થાય તે રીતે પહેરવામાં આવે છે, જેથી હાડકા મજબૂત થાય. તેને ધારણ કરવાથી માત્ર વિટામીન ડી જ નહિં, પણ અન્ય તમામ વિટામિન અને મિનરલ્સ શરીરને પૂરતા માત્રામાં મળી રહે છે.
હૉવલાઈટ આ પત્થર સફેદ રંગનો હોય છે. જેમાં કાળી રેખાઓ દેખાતી હોય છે. આ અપારદર્શી પત્થર છે. હૉવલાઈટ ધારણ કરનાર વ્યકિતના હાડકા તેનાથી મજબૂત બને છે. તેમનામાં કેલ્શિયમની પૂરતી માત્રા સંગ્રહિત થાય છે. આ સ્ટોન માંસપેશીઓના તાણને દૂર કરે છે. જેનાથી હાડકાને સ્વાભાવિક રીતે વધવામાં મદદ મળે છે.