Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું તમે જાણો છો કે ઘરમાં કોઈના મૃત્યુ પછી કેમ વાંચવામાં આવે છે ગરુડ પુરાણ

જે પણ જીવ આ પૃથ્વી પર અવતરે છે તે એક ને એક દિવસે મૃત્યુ પામે છે. નામ તેનો નાશ થાય તે નિશ્ચિંત છે. મૃત્યુ એ જન્મ લેનાર માટે શાશ્વત છે. કોઈ પોતાનું ગમે તેટલું વહાલું કેમ ન હોય તેને છોડ઼ીને જવું જ પ઼ડે છે. કોઈ કોઈની સાથે નથી જઈ શકતું. આમછતાં કેટલીક પરંપરા એવી હોય છે કે જે મૃત્યુ પછી કરવામાં આવે છે. તેની પાછળનો આશય પરિવારજનોને કર્મબોધ આપવાનો હોય છે.

તેમજ એવું પણ માનવામાં આવે છે કે જે મૃત્યુ પામે છે તે 12 દિવસ સુધી ઘરની અંદર જ તેનો આત્મા ભટકતો હોય છે. તે અજ્ઞાત પણે આ સાંભળીને કર્મબોધને યાદ કરે અને તેમનો માયાના બંધનોમાંથી છૂટકારો થાય તે આશય રહેલો છે. આમછતાં આજે અમે તમને સવિસ્તાર જણાવીશું કે ઘરમાં કેમ બેસાડવામાં આવે છે ગરુ઼ડ પુરાણ.

સારા – નરસાં કર્મનું ફળ આ ધરતી પર

ગરુડ પુરાણ જણાવે છે કે કર્મ અહિં જ ભોગવવાના છે પછી તે સારા હોય કે ખરાબ. શાસ્ત્રોમાં ગરુડ પુરાણના જ્ઞાનનું રહસ્યને જાણવા માટે સૌથી શ્રેષ્ઠ સમય મૃત્યુ પછીનો નક્કી કરવામાં આવે છે. માનવી ગમે તેટલું કરે.. ખાલી હાથે આવવાનું છે અને ખાલી હાથે જ જવાનું છે.
સાથે કઈં આવશે તો તે માત્રને માત્ર સત્કર્મનું ભાથું જ સાથે આવે છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું પણ વિસ્તૃત વર્ણન છે. એમાં પણ એ જણાવવામાં આવ્યું છે કે ભગવાને કઈ પરિસ્થિતિમાં અવતાર લેવા માટે વિવશ થવું પડ્યું.

આત્માની શાંતિનો ઉપાય

ગરુડ પુરાણ એ મૃતકની આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. માયાના બંધનોમાંથી જીવ મુક્ત થઈ ઉચ્ચત્વને પામે તેવો આશય તેની પાછળ રહેલો હોય છે. ગરુડ પુરાણ બેસાડવાથી મૃતકની આત્માની શાંતિ થઈ જાય છે.

માત્ર મૃતક જ નહિં પરિવારને પણ કર્મબોધ મળે છે. વળી કોઈ અંગત વ્યક્તિના મોતથી પરિવાર પર આભ તૂટી પડે છે. તેથી ગરુડ પુરાણ સાંભળવાથી તેના મનને કોઈ બોધ મળે છે અને સારું લાગે છે. ગરુડ પુરામ વ્યક્તિને હમેંશા સત્કર્મની પ્રેરણા આપે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111411776
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now