વૈશાખમાસના સુદ પક્ષની નવમીના સીતા નવમી કહે છે. ધર્મ ગ્રંથો અનુસાર આ દિવસે માતા સીતાનું પ્રાગટ્ય થયું હતું. આ પર્વના જાનકી નવમી પણ કહે છે. આ વખતે આ પર્વ આ ૨જી મે, શનિવારના છે.
શાસ્ત્રો અનુસાર વૈશાખમાસની સુદ પક્ષની નવમા દિવસે પુષ્ય નક્ષત્રમાં જ્યારે મહારાજા જનક સંતાન પ્રાપ્તિની કામનાથી યજ્ઞની ભૂમિ તૈયાર કરવા માટે હળથી જમીન ખેડી રહ્યા હતા, તે સમયે પૃથ્વીથી એક બાળકી પ્રગટ થઈ.
ખેડાલી જમીનને તથા હળની નોકને પમ સીત કહે છે, આ માટે આ બાલિકાનું નામ સીતા રાખવામાં આવ્યું. સીતા અયોનિજા હતા . આ દિવસ વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત માતા સીતાના નિમિત્તે વ્રત રાખે છે. આ દિવસ વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત માતા સીતાના નિમિત્તે વ્રત રાખો અને પૂજન કરે છે.
જીવન એક બીજાના માટે જીવ્યા પણ સીતા એ આદર્શ છે પરમ શક્તિ છે . જેમના પિતા રાજા જનક વિદેહી કહેવાતા સીતા માતા ને જાનકી થી પણ ઓળખાય છે
જેવો જન્મ થયો તેમજ સીતા માતા ધરતી પુત્રી ધરતી મા સમાણા
એવું કહે છે જે પણ આ દિવસે વ્રત રાખે તથા શ્રી રામ સહિત માતા સીતાનું વિધિ-વિધાનથી પૂજન કરે છે તેને પૃથ્વી દાનું ફળ, સોળ મહાન દાનનું ફળ, બધા તીર્થોનું દર્શનનું ફળ તેની મેળે જ મળી જાય છે. આથી આ દિવસે વ્રત જરૂર કરવું જોઈએ.