Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શનિવારના દિવસે ભૂલથી પણ ન ખરીદવા જોઇ કાળા રંગના જૂતા, નહીંતર…

શનિવારનો દિવસ ભગવાન શનિનો માનવામાં આવે છે આ દિવસે શનિ દેવના મંદિરોમાં હજારો શ્રદ્ધાળુઓની ભીડ હોય છે. શનિના પ્રકોપથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે. તે સિવાય શનિને પ્રસન્ન કરવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે નહીતર તમને ભારે નુકસાન પણ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે જેની કુંડળીમાં પણ શનિનો ભાવ શુભ હોય છે તેના માટે શનિ દેવ તરક્કીના નવા રસ્તા ખોલે છે. જ્યારે કુંડળીમાં શનિનો અશુભ ભાવ વ્યક્તિને બરબાદ કરી શકે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે શનિવારના દિવસે શુ ન કરવું જોઇએ. જો તમે આ કામો કરો છો તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જોકે, કેટલાક લોકો જૂતાના શોખીન હોય છે કે તેને માર્કેટમાં જે પણ દુકાન પર સ્ટાઇલિશ જૂતા દેખાઇ જાય તો ખરીદી લે છે. જણાવી દઇએ કે જો તમે પણ આવું કરો છો તો ભૂલથી પણ શનિવારના દિવસે જૂતા ન ખરીદવા જોઇએ. નહીંતર તમારા જીવનામાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. ખાસ કરીને આ દિવસે કાળા રંગના જૂતા ન ખરીદવા જોઇએ. જો કોઇ આવું કરે છે તો તેને દરેક કાર્યમાં અસફળતા મળે છે. જો તમે શનિવારના દિવસે ભૂલથી પણ જૂતા ખરીદો છો આ ઉપાય જરૂર કરો.

– શનિવારના દિવસે ભગવાન શિન દેવના મંદિરમાં જાઓ એને તેમને તેલ ચઢાવો.

– શનિવારના દિવસે શનિ દેવના મંદિરમાં જૂતા પહેરીન ગયા હોવ અને જો આ જૂતા ચોરી થઇ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે
.
– શનિવારના દિવસે શનિ દેવના નામનું વ્રત રાખો અને વિશેષ રીતે તેમની પૂજા કરો.

– સૂર્યોદયથી પહેલા પીપળાની પૂજા કરવા પર શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે.

– દર શનિવાપે વાંદરા અને કૂતરાને ગોળ તેમજ કાળા ચણા આપવા જોઇએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111418028
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now