સવારમાં ઉઠતાની સાથે જ કરો આ કામ, નહીં થાય જીવનમાં ક્યારેય ધનની કમી
આર્થિક સંપન્ન હોવાથી જીવન જીવવું સરળ બની જાય છે. ખાસકરીને આજના સમયમાં આર્થિક રીતે સંપન્ન હોવું ખુબજ જરૂરી છે. આવા સમયે ધનની પ્રાપ્તિ માટે આપણે તમામ શક્તિઓ વાપરી નાંખીએ છીએ. સારૂ શિક્ષણ, નોકરી કે ધંધો, સારૂ પાત્ર સારા સંતાનો આપણે બસ વિચારતા જ રહીએ અને માણસ જન્મે ત્યાંથી મૃત્યુ પર્યંત સતત કોઈને કોઈ આશા કરતો જ રહે છે અને આ બધુ જ શક્ય બની શકે જો આપણે આર્થિક રીતે મજબુત હોઈએ તો.
કર્મક્ષેત્રની સાથે સાથે કરો કેટલાક ખાસ ઉપાય તો તમારા જીવનમાં અપાર ધનની વર્ષા થશે. તમને જાણીને નવાઈ લાગશે પણ આપણા વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સચોટ ઉપાય દર્શાવવામાં આવ્યા છે જેને અનુસરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્રની આ ટિપ્સ અજમાવી જુઓ પછી જુઓ તમારે ત્યાં ધનની ક્યારેય નહી કમી રહે.
પ્રવેશ દ્વારથી ધનનું આગમન
પ્રવેશ દ્વારનું જેટલું મહત્વ ઘરની અંદર પ્રવેશ કરવા માટે હોય છે, તેટલુંજ ધનની વૃદ્ધિ માટે પણ હોય છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમે આર્થિક સંપન્ન બનવા માંગો છો તો મુખ્ય દ્વાર ડાર્ક કલરનો રાખો. જો કે કાળો કલર વાસ્તુશાસ્ત્રમાં નિષેધ છે. તમે શુભ રંગના પ્રતિક સમાન લાલ કે મરૂણ રંગનો ઉપયોગ કરી શકો છો. આનાથી ધનમાં વૃદ્ધિ થશે. ધ્યાનમાં રાખો કે સવારે ઉઠતાની સાથે મુખ્ય દ્વાર ખોલો તો મનમાં લક્ષ્મીજીનું સ્મરણ કરી પછીજ દરવાજો ખોલો.
તસવીરથી મળશે માં લક્ષ્મીની વિશેષ કૃપા
જો તમારા પ્રવેશ દ્વાર પર કોઈ બીજો રંગ છે તો આ માટે પણ એક ઉપાય છે. તમે શુભ રંગ ગણાતા લાલ કે મરૂણ રંગને પ્રવેશ દ્વાર પર કોઈ ડિઝાઈન બનાવી લો અથવા માં લક્ષ્મીની તસવીર બનાવી દો. આનાથી માતાની વિશેષ કૃપા ઉતરશે. સવારે જ્યારે દરવાજો ખોલો આ તસવીર જોઈને લક્ષ્મીજીનું સ્મરણ કરો.
આ પ્રતિક ચિહ્નોને જરૂરથી લગાવો
ઘરના પ્રવેશ દ્વાર પર ઓમ, શ્રી ગણેશ, માં લક્ષ્મીજીના ચરણ અને શુભ-લાભના પ્રતીક ચિહ્ન લગાવો. આનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને નકારાત્મક ઉર્જાનો નાશ થશે. સવારે ઉઠીને આ ચિહ્નોને પ્રણામ કરીને ઘરનો દરવાજો ખોલવાથી લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે.
આ છોડથી વરસશે અપાર ધન
ઘરના પ્રવેશ દ્વારની સામે તુલસી કે ચમેલીનો છોડ લગાવો. સવારે ઉઠતાની સાથે આ છોડના દર્શન કરો, સાંજે નીયમિત રીતે તુલસીજીને દીપ પ્રગટાવો. આનાથી તમારા ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થશે.
આ ટિપ્સ પણ અજમાવી જુઓ
સવારે ઉઠીને અને કાર્ય સ્થળ પર જતા પહેલા નાસ્તો કરતા પહેલા નાભી પર ગુલાબનું અત્તર લગાવીને નિકળો. યાદ રાખો કે આ પ્રયોગ પૂજાઘરમાં ભગવતીમાંને ચઢાવીને કરો. આનાથી તમારા પર માતાની કૃપા ઉતરશે.