કુંડળીમાં જો નબળો હોય શુક્ર તો કરો આ ઉપાય, સુખ અને સમૃદ્ધિનો થશે વરસાદ
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ-સુવિધાઓનો સ્વામી માનવામાં આવે છે. કુંડળીમાં શુક્ર મજબુત હોવાથી વ્યક્તિને ભૌતિક સુખ-સુવિધાઓની સાથે અદ્ધભુત સૌંદર્યની પણ પ્રાપ્તિ થાય છે. શુક્રને ધન અને ઐશ્વર્ય સાથે જોડાયેલ ગ્રહ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શુક્ર અશુભ સ્થાને કે કમજોર સ્થિતિમાં હોય છે તેમને જીવન પર્યંત અભાવવાળુ જીવન જીવવાનો સમય આવે છે. જો તમે પણ આવી સ્થિતિમાંથી થઈ રહ્યા છો પસાર તો અમારી પાસે છે તમારા માટે કેટલાક કારગત ઉપાય.
જેમની કુંડળીમાં શુક્ર કમજોર કે નબળો હોય તેમને થાય છે આ નુકસાન
શુક્ર નબળો હોય તો વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને ફળ પ્રાપ્ત થતું નથી. વ્યક્તિ પાસે તમામ સુવિધાઓ હોવા છતાં સુખ ભોગવી શકાતું નથી. વ્યક્તિ પાસે ધન ટકતું નથી અને ખોટા ખર્ચાઓમાં ધનનો વ્યય થઈ જાય છે.
કુંડળીમાં જો શુક્ર નબળો હોય તો પ્રેમ અને ભાવનાઓ વ્યક્ત કરવામાં ભારે પરેશાની આવે છે. વ્યક્તિના વ્યક્તિત્વમાં આકર્ષણ ઓછુ રહે છે.
શુક્ર નબળો હોય તો થાય છે આ અસર
શુક્ર નબળો રહેનાર જાતકને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો રહે છે. આવા લોકોનું ચારિત્ર્ય કમજોર હોવાની શક્યતા વધી જાય છે. વૃદ્ધાવસ્થામાં આવા લોકોની સમસ્યાઓ વધી જાય છે.
આ ઉપાય અજમાવી જુઓ
જો તમે પુરૂષ છો તો તમારે ઓપલ (પર્લ)ધારણ કરવો જોઈએ. મહિલા છો તો હીરો કે પન્ના ધારણ કરવો જોઈએ. શુક્રની દશા ટાળવા માટે સફેદ સ્ફટીકની માળા પહેરવાથી પણ લાભ થશે. નિયમિત રૂપથી શુક્રવારે શિવજીને સફેદ ફુલ અર્પિત કરવા જોઈએ. ગુલાબી અને સફેદ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. હળવી સુગંધ પ્રયોગ કરવો લાભકારી છે.
શુક્ર નબળો હોય તો આ ઉપાય કારગત નિવડશે
શુક્ર સંબંધીત ભુલથી પણ ક્યારેય કોઈ અજાણ્યા રત્ન ધારણ ન કરવા.
રોજ સવારે ઉઠીને શુક્ર મંત્રનો જાપ કરો.
શુક્રનો મંત્ર છે.
“ॐ દ્વાં દ્રૌં સ: શુક્રાય નમ: “
શુક્રવારના દિવસે કરો સફેદ મિઠાઈનું દાન. સફેદ રંગનો વધારે પ્રયોગ કરો.