નહીં જાણતા હોવ દાડમના લાકડાનું ધાર્મિક મહત્વ, પૂજા કરવાથી શત્રુઓ રહે છે દૂર
દરેક ફળનું તેનું પોતાનું અલગ મહત્વ છે. તેમાથી જો દાડમની વાત કરીએ તો તેને સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ઉચિત માનવામાં આવે છે. જ્યારે ધાર્મિક દ્રષ્ટિથી પણ તેનું મહત્વ જોવા મળે છે. દાડમના માધ્યમથી તમે તમારી કિસ્મતનું તાળું ખોલી શકો છો. આ વાતથી તમે પણ અજાણ છો કે દાડમના માધ્યમથી તમે દેવી-દેવતાઓને પણ પ્રસન્ન કરી શકો છો. પરંતુ આજે અમે તમને દાડમના ફળ અંગે નહીં પરંતુ તેના લાકડાના ધાર્મિક મહત્વ અંગે જણાવીશું. તો આવો જોઇએ કેવી રીતે દાડમના લાકડાથી તમારી કિસ્મત બદલાઇ શકે છે.
શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે દાડમના છોડમાં વિષ્ણુ-લક્ષ્મીનો વાસ હોય છે. તેને ઘરમાં લગાવવાથી પૈસાની તંગી થતી નથી. દાડમના લાકડાનો પ્રયોગ યંત્ર બનાવવામાં માટે કરવામાં આવે છે.
દાડમના લાકડાનું મહત્વ
– જો તમારા કામમાં વારંવાર કોઇ અડચણ આવે છે. તો લાકડાનો પ્રયોગ કરો. મહીનામાં એક વખત રાહુનું સ્વાતિ નક્ષત્રમાં દાડમનું લાકડું તોડીને ઘરે લાવો.
– લાકડું તોડતા પહેલા તેના ઝાડથી માફી માંગવી જોઇએ. તે બાદ તેને ઘરે લાવીને ચોખા, ફળ અને મિઠાઇ ચઢાવવી જોઇએ. તેને દીવો પ્રગટાવી પૂજા કરવી જોઇએ.
– ચાંદીના તાવીજમાં દાડમનું લાકડુું નાખીને શનિવારે કાળા દોરામાં બાંધી ગળામાં પહેરો. આમ કરવાથી તમારો શત્રુ શાંત થઇ જાય છે.