Gujarati Quote in Quotes by Sunil N Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શકિતશાળી

હું મારા જીવનના અનુભવ પરથી કહું છું શક્તિશાળી સૌથી વધારે સમય હોય છે. જો તમારો સમય સારો હોય એટલે તો દરેક વસ્તુ સારી થાય છે,પણ જો તમારો સમય બદલાય ત્યારે દરેક સારી વસ્તુ પણ ખરાબ લાગતી હોય છે.

એવું કેમ ચલો હું સમજાવું.. જીવનમાં સારો સમય હોય ત્યારે ચારે બાજુથી વાહ..વા.. થતી હોય છે. દરેક જગ્યાએ પ્રશંસા અને વખાણ થતા હોય છે. પોઝિટિવ એનર્જી નો આપણા જીવનમાં સંચાર થતો હોય છે. ના મારે એનાથી વધારે સારું કામ કર વુ છે.. હજુ એના ઉપર હું વધારે સારું કામ કરી શકત.. આ કામ તો હું જ કરી શકીશ.. મારો સૌથી પૂરેપૂરો સમય અને મહેનત આ કામ પાછળ આવી છે.. વગેરે વગેરે.. તે સમય એવો હોય છે કે સાહેબ તમે વિશ્વાસ નહીં કરો "એક કાગળનો ટુકડો ફેકો તો એ પણ સોનાનો થઈ જતો હોય છે" એટલી એ કનટેન વિષયવસ્તુમાં તાકાત હોય છે. કાગળ લખાણની કિંમત પણ લાખોમાં આપણને મળી શકે.

સમય વ્યક્તિને શીખવાડે છે, સમય વ્યક્તિને ભુલાવે છે ,સમય વ્યક્તિને સાચી ઓળખાણ કરવાની શક્તિ આપે છે. ક્યારેક સમય હસાવે છે ક્યારે રડાવે છે અને સારા સમયમાં આપણા દ્વારા કરેલુ અભિમાન એ ખરાબ સમયમાં ચોક્કસથી આપણને યાદ આવે છે. જો સારા સમયમાં આપણે બીજાને મદદરૂપ થયા હોય, કોઈને કંઈ શીખવાડ્યું હોય, ક્યાંક સારી બાબત ના વખાણ કર્યા હોય અને ક્યાંક ખોટા વર્તનનો ટકોર કર્યો હોય.આ સર્વે વસ્તુ ની નોંધ ઈશ્વરના ત્યાં તો લેવામાં આવે છે. પછી એ બધી વસ્તુ તમારા ખરાબ સમયમાં કામ આવે છે. તમે ગમે તેટલા શક્તિશાળી હોય ને પછી ખરાબ સમયમાં તમારા પહેરેલા કપડા પણ તમને સાથ નથી આપતા તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. સદામ હુસેન સાહેબ નો સમય હતો ને ત્યારે એના ત્યાં સંડાશ બાથરૂમ નળ સોનાના અને જ્યારે ખરાબ સમય આવ્યું તે આપણે બધાએ જોયું.

મારો કહેવાનો મતલબ એ છે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે હળી-મળીને સારા સમયમાં અને ખરાબ સમય રહેવું જોઈએ. ક્યારેક કોઈ વ્યક્તિ સારું કરે ને તો તેની દિલથી પ્રશંસા કરવી જોઈએ ક્યારેક કોઈ નાના માણસ પણ મોટું કામ કરી જાય છે.. ક્યારેક મોટો માણસ મોઢું સંતાડીને કામના સમયે ચાલ્યો જાય છે..

કબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ..

અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર પણ યુદ્ધમાં હારી ગયો.. એ ધનુષ્યને એ જ બાણ હતો.. તેનો સમય માત્ર ખરાબ હતો.

આમ સમય ખૂબ જ શક્તિશાળી હોય છે. સમયનું સન્માન કરો અભિમાન નહીં..


આભાર સહ
સુનિલ કુમાર શાહ

Gujarati Quotes by Sunil N Shah : 111450444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now