ગૃહ પ્રવેશ કરતી વખતે કળશ કેમ મૂકવામાં આવે છે?
ધર્મ, આસ્થામાં માનતો સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાયન્સ સાથે સીધો જોડાયેલો તબીબી કક્ષાનો માણસ હોય પણ નવું મકાન બનાવે, મકાન બદલે ત્યારે ગૃહપ્રવેશ સમયે તે મકાનમાં કળશ મૂકવાની પરંપરા આ સૌમાં એકસમાન રીતે જોડાયેલી છે. ક્યાં કારણોસર નવું મકાન બનાવતી વખતે કે એક ઘરમાંથી બીજા ઘરમાં સ્થળાંતર કરતી વેળાએ ગૃહપ્રવેશ સમયે આ કળશ મુકાય છે તે સમજવું જરૂરી છે. જ્યારે પણ કોઈ નવું મકાન બનાવવાની ઈચ્છા હોય ત્યારે ખરીદતી વખતે તેમાં કળશ જરૂર મૂકવો. આ કળશને દૂધ, મધ, અનાજ કે પાણીથી ભરીને રાખવો. પરંતુ નવા મકાનમાં કળશ રાખવો ભૂલવો નહીં.
ઘણી વખત પ્રશ્ન થાય છે, કે આખરે કળશ મૂકવાનું કારણ શું હોઈ શકે? શું આ કેવળ એક પરંપરા છે? કળશ રાખવાથી શું ફયદો થાય? આ પ્રકારના અનેક સવાલ આપણા મનમાં ઉદ્દભવે છે. તો શાસ્ત્રો અને વિજ્ઞાાન બંનેની દ્રષ્ટિ એ તેમાં ભરવામાં આવતી વસ્તુઓથી આપણા ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને નકારાત્મક ઊર્જા બહાર જાય છે.
કળશની આકૃતિ સકારાત્મક ઊર્જાને આકર્ષે છે. તેમની સાથે મૂકવામાં આવેલી સામગ્રી જેમકે દૂધ, પાણી, મધ અને અનાજના પ્રભાવથી સકારાત્મક ઊર્જા ગ્રહણ થઈ શકે છે. તેનાથી દુકાન, ઓફ્સિ કે ઘરમાં હંમેશાં સારું વાતાવરણ રહે છે. અહીં નિવાસ કરનારા લોકોનું મન પ્રફ્ુલ્લિત રહે છે. તેમને માનસિક, પારિવારિક કે શારીરિક મુશ્કેલીઓ નડતી નથી.
નવા નિવાસમાં પ્રવેશ પૂર્વે નીચેની મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાન રાખવી. અન્યથા, ત્યાં રહેનાર અને તેમના પરિવાર માટે અવરોધો પેદા થાય છે. તેથી નવા નિવાસમાં જતા પહેલા પ્રાચીન ગ્રંથો મુજબની વિધિથી ગૃહ પ્રવેશ કરવો જોઈએ
ગૃહ પ્રવેશ પૂર્વે ઘરમાં દરવાજા અને બારીઓ બેસાડેલા હોવા જોઈએ.
ઘરની ઉપરની છત બેસાડેલી હોવી જોઈએ.
વાસ્તુ પુરુષ અને વાસ્તુ દેવતાઓનું પૂજન કરીને ભોગ ધરાવવા જોઈએ.
બ્રાહ્મણોને સાત્વિક બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ.
ઘરમાં કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો ગૃહ પ્રવેશ કરવો નહીં.
એક વખત વાસ્તુ શાંતિ અને વાસ્તુ પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ગૃહ સ્વામી પરિવાર સાથે ગૃહ પ્રવેશ કરી શકે છે.