હથેળીમાં રહેલો શુક્ર પર્વત આપશે તમામ એશો આરામ, તમે પણ જાણો
હસ્તરેખા શાસ્ત્રએ ખુબજ પ્રાચીન વિદ્યાઓમાંથી એક છે. જેમાં આજે આપણે શુક્રના પર્વત અંગે વાત કરીશુ. શુક્ર પર્વતની સ્થિતિથી જાણી શકાય છે કે તમે કેટલા વૈભવશાળી છો. તમારૂ લગ્નજીવન કેવુ રહેશે. તમે કેવી જિંદગી જીવો છો. જો તમને શુક્ર પર્વતની આ તમામ બાબતોનું જ્ઞાન જોઈતુ હોય તો આ માહિતી છે ખાસ તમારા માટે. શુક્ર પર્વત અને તેના પર બનતા ચિહ્નોની માહિતી આપીશુ.
શુક્ર પર્વતનું વિકસિત હોવુ
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિનો શુક્ર વિકસિત હોય આવી વ્યક્તિ ખુબજ તેજસ્વી હોય છે. તેમનો ચહેરો આકર્ષક હોય છે. આવી વ્યક્તિ પોતાનું કામ અને જવાબદારીઓ નિભાવી શકે છે. આવા લોકોને કલા તરફ ખુબજ આકર્ષણ હોય છે. આવા લોકો લક્ઝરી લાઈફ જીવવાનું પસંદ કરે છે. આમનો જીવનસાથી ખુબજ આકર્ષક હોય છે.
શુક્ર પર્વત અવિકસિત હોય તો…
જે લોકોનો શુક્ર પર્વત અવિકસિત હોય છે આવા લોકોના જીવનમાં પારાવાર મુશ્કેલીઓ હોય છે. આવા લોકો દેખાવમાં સામાન્ય અથવા તો આકર્ષણ વીનાના હોય છે. સમાજમાં આવા લોકોનું માન હોતુ નથી. આવા લોકો અપમાનીત થયા કરે છે. કેટલીક વખત લાલચમાં આવીને મોટુ નુકસાન કરી બેસે છે.
શુક્ર પર્વત પર જાળુ હોવુ
જે વ્યકિતનો શુક્ર પર બહુ બધી રેખાઓ હોય તો અને આવી રેખાઓ એકબીજાને કાપતી હોય તો શુક્ર આવા સમયે જાળુ રચે છે. આવી વ્યક્તિ પારાવાર નુકસાની ઉઠાવે છે. ધનની કાયમી સમસ્યા રહે છે. એક સાંધે ત્યાં તેર તૂટે તેવી તેમની સ્થિતિ હોય છે