Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શત્રુઓ હિંમત નહીં કરે નજીક આવવાની પણ, રોજ કરો હનુમાનજીના આ મંત્રનો જાપ

: જો કોઇની કુંડળીમાં ગ્રહ સંબંધિત દોષ હોય તો, વ્યક્તિઓને સતત શત્રુઓનો સામનો કરવો પડે છે. શત્રુઓ પર વિજય મેળવવા માટે અને કુંડળીના દોષો દૂર કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે

હનુમાનજી સામે કરો આ એક ઉપાય:

હનુમાનજીની મદદથી જ શ્રી રામે રાવણ અને તેના આખા અસુર કુળનો નાશ કર્યો હતો. હનુમાનજી શત્રુઓ પર વિજય અપાવતા દેવતા ગણાય છે. તેમની નિયમિત પૂજા કરવાથી મોટી-મોટી સમસ્યાઓમાંથી પણ સરળતાથી બહાર નીકળી શકાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા અને શત્રુઓને હરાવવા માટે હનુમાન ચાલીસાની આ ચોપાઇનો 108 વાર જાપ કરવો જોઇએ.

ચોપાઇ: संकट ते हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै।

આ ચોપાઇનો જાપ કરવાથી હનુમાનજી તેમના ભક્તોનું બધા જ પ્રકારના સંકટથી રક્ષણ કરે છે.

આ રીતે કરો ચોપાઇનો જાપ:

આ ચોપાઇનો જાપ કરવા માટે હનુમાનજીના મંદિરમાં જાઓ કે ઘરના મંદિરમાં જ ભગવાનની પૂજા કરો. પૂજામાં હનુમાનજીને સિંદૂર ચઢાવો. નારિયેળ અને પ્રસાદ ચઢાવો. સરસોના તેલનો દીવો કરી આ ચોપાઇનો 108 વાર જાપ કરો. જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપાય કરો.

મળી શકે છે આ લાભ પણ:

આ ઉપાયથી દરેક જાતની નકારાત્મકતાથી મુક્તિ મળી શકે છે. માનસિક શાંતિ મળી શકે છે. ભક્ત પર ખરાબ નજરની અસર થતી નથી. કુંડળીના દોષોમાંથી મુક્તિ મળી શકે છે. શનિ હોય કે મંગળ, બધા જ ગ્રહ શુભ ફળ પ્રદાન કરી શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111464970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now