ક્યારેક ખુશી તો ક્યારેક દુઃખનો ભાવ લખાય છે,
મનની વાતો શબ્દોનાં દેહે કાગળ પર ઠલવાય છે..
લાગણીઓને તો જાણે વહેવા રસ્તો મળી જાય છે,
આ કરમાયેલાં હ્રદયમાં શાંતિનો ધબકારો પૂરાઇ જાય છે..
ના કહેલી વાતોને આ શાહી બરાબર સમજી જાય છે,
અને અલંકારોનાં આભૂષણથી કવિતાને સજાવી જાય છે..
- હિના પાનસુરિયા
#વિશ્વ .કવિતા.દિવસ