ક્યારેક ખુશી તો ક્યારેક દુઃખનો ભાવ લખાય છે,
મનની વાતો શબ્દોનાં દેહે કાગળ પર ઠલવાય છે..

લાગણીઓને તો જાણે વહેવા રસ્તો મળી જાય છે,
આ કરમાયેલાં હ્રદયમાં શાંતિનો ધબકારો પૂરાઇ જાય છે..

ના કહેલી વાતોને આ શાહી બરાબર સમજી જાય છે,
અને અલંકારોનાં આભૂષણથી કવિતાને સજાવી જાય છે..

- હિના પાનસુરિયા



#વિશ્વ .કવિતા.દિવસ

Gujarati Poem by Heena Pansuriya : 111679883

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now