સાધક છું , ભગવાન નથી
હું પણ એક માણસ છું.
ક્યાં સુધી અને કેટલું
સહેવાય ! આ માનવથી.
કદીક દુઃખ પણ થાય,
કદીક સુખ પણ.
શકય એટલી,
સમતા જાળવી રાખું છું,
પણ,
જ્યાં જરુર પડે
નથી બોલતાં ત્યાં
અબુધ સમજે છે લોકો,
અને
સત્યવચન કોઈથી સહન થતું નથી.
શું કરવું ?
સત્ય બોલું છું ત્યારે
કડવું લાગે છે અને
લોકો મને ' એક સાધક છો.'
આવું કહી; દબાવે છે મને,
સત્ય બોલતી બંધ કરાવે છે,
તો શું, કરવું ?
હંમેશા ચૂપ જ રહેવું?
હા,
ચૂપ રહેવામાં જ શાંતિ લાગે છે,
અંતરાત્માને સારુ લાગે છે,
અને
હંમેશા એ જ રીતે રહું છું,
પણ
માનવ હોવાના નાતે ક્યારેક
સમતા ગુમાવું છું.
તો,
હે પરમ કૃપાળુ પરમાત્મા!
આજનાં દિવસે એક પ્રાર્થના કે,
હું હંમેશાં સમતા ભાવે રહું.
મારું ચિત્ત કદી ક્યાંય સમતા ન ગુમાવે.
જાગૃતિ પંડ્યા આણંદ.