વાહ રે! અમદાવાદ!
માનવ જીવનમાં આનંદ અને વિષાદનો ખેલ ખેલાય છે.
એ જ રીતે નગરજીવનનાં ભાગ્યલેખમાં સમૃદ્ધિમાં ભરતી
ઓટ આવતાં હોય છે.એકવાર જે નગર સત્તા અને સમૃદ્ધિનાં
શિખર પર હોય, એ નગર કાળબળે વેરાન કે ખંડેર પણ બની
જાય! માત્ર એનાં અહીંતહીં અવશેષો ઉજ્જવળ અતીતની ચાડી
ખાતા રઝળતા હોય છે.
🙏