Gujarati Quote in Thought by Dave Yogita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્રો! દુઃખદ વાત તો દરેકના જીવનમાં બનતી હોય છે. કોઈને કોઈ પ્રસંગ કે કોઈ સમય એવો આવે છે જે એક વ્યક્તિ માટે કાઢવો મુશ્કેલ બની જાય છે. હું તો ઈચ્છુ કે કોઈના જીવનમાં કોઈ દુઃખદ વાત બને જ નહિ. હમેશાં બધા હસતાં રહે. દુઃખ આવે તો ય તમને બધાને દૂરથી સલામ કરતું જતું રહે..

"હે મહાદેવ! તેરે દરબાર મે મેરી દુઆ અનામત રખના,
મે રહુ યા ના રહુ મેરે દોસ્તો કો સલામત રખના.......


એક વાત જરૂર કહેવા માંગીશ કે દુઃખદ વાત તો બધાના જીવનમાં થતી રહેતી હોય છે. પણ એ વાત પકડીને ઊભા રહેવું એ મોટુ દુઃખ છે. દુઃખદ વાત મારા માટે તો આજ પણ એ જ છે કે પચાસ ટકા માણસો હજુ એક જ જગ્યાએ ઊભા છે. પોતાની જાતને એનાથી આગળ લાવવા જ નથી માંગતા. એક ને એક વાતના રોદણાં જિંદગી આખી રોયાં રાખે. ઘણા લોકોને આગળ વધવુ જ નથી. આગળ વધો તો કેટલા સુખ એવા છે જે તમારી રાહ જોઈ ઊભા છે, પણ તમારે આગળ જ નથી વધવુ. આગળ વધવા માટે પણ ઘણું છોડવું પડે છે. છોડી દેવાનું બહુ ચિંતા નહિ કરવી.

જીવનનું નામ છે વહેતું રહેવાનું.સુખ હોય કે દુઃખ એક જ નિયમ યાદ રાખવો કે કોઈ સમય ઊભો નથી રહેવાનો. જો સુખ ઉભુ ના રહ્યું તો દુઃખની તાકાત પણ શું છે? આપણને ગમતો સમય જતો રહ્યો તો આપણને ના ગમતો સમય જતાં પણ વાર નહિ લાગે.

ધન્યવાદ....🙏🙏🙏🙏🙏🙏

યોગી

Gujarati Thought by Dave Yogita : 111876393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now