માનવંતા એ બને જેનામાં માનવતા હોય.
માનવંતા એ બને જેનામાં સરળતા હોય.
બુદ્ધિ અને પુરુષાર્થથી સફળતા મળે છે,
માનવંતા એ બને જેનામાં બુદ્ધિમતા હોય.
આંટીઘૂંટી દુનિયાની પ્રભુને પસંદ નથી હોતી,
માનવંતા એ બને જેનામાં નિખાલસતા હોય.
ભીતર અને બહાર ન હોય ભિન્નતા જેને,
માનવંતા એ બને જેનામાં એકરૂપતા હોય.
કરી કામ કોઈના કદી ના વેણ ઉચ્ચારતા,
માનવંતા એ બને જેનામાં ગંભીરતા હોય.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.