વેદ વંચાય કે ના વંચાય વેદના કોઈની વાંચવા દેજે.
અર્થ સમજાય ન સમજાય કોઈને મને સમજવા દેજે.
જોઈ લઈશની ભાષા નહીં ફાવે ક્યારેય કદીએ પણ,
સંભાળી લઈશની વૃત્તિ મારામાં પ્રભુ વિકસવા દેજે.
બદલો લેવાનો મને વિચાર સુધ્ધાંયે ના આવે કદાપિ,
સામેવાળાના વિચારો પરાવાણીથી તું બદલવા દેજે.
ક્રોધ કરવાની ટેવ જન્મોજન્મથી સાથ નિભાવે છે.
મારા અવગુણો પર ક્રોધ કરવાની બુદ્ધિ પ્રગટવા દેજે.
કોઈની વૈખરી વાણીની સામે પરાનો પ્રભાવ રહેજો,
આટલું હે હરિવર તું મારું મનચાહ્યું હંમેશ થવા દેજે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.