ક્યારેક મન અકારણ ઉદાસ રહે છે, જીવનમાં આપણને ગમતું બધું આપણને મળી જાય એવું હોતું નથી. ક્યારેક ક્યારેક આપણે વાસ્તવિકતાથી અજાણ્યા બનીએ છીએ. એના ઉપર બે પંક્તિ લખી છે કે..
વાસ્તવિકતા થી અજાણ્યો બનવાનો
તું આમ ડોળ ના કર,
વાત હવે તારી આવી છે તો એને પૂરી કર..
ભણે છે સમજે છે બધું તું...
તેમ છતાં ખોટો અસ્વીકાર ના કર..
તું પણ એ બધું પામીશ જેની તને ઝંખના છે,
પણ એ પુરુષાર્થ અને નસીબ વગર શક્ય નથી..
વાસ્તવિકતા નો તું સ્વીકાર...
તારી જિંદગી માં સતત મહેનત કરવામાં રે...
વાત હવે તારી આવી છે તો એને પૂરી કર..
આમ પાછા પાની કરવું તને શોભતું નથી.