જીવન માં કયારેક એવુ પણ થતું હોય છે.. તમે જે વ્યક્તિ કે વસ્તુ કે પછી સંબંધ પાછળ ભાગતા હોય તેના માટે ભાગતા હોય અને એ મળી પણ જાય પણ એક સમય એક પરિસ્થિતિ એવી આવી ને ઉભી રહે કે જયારે તમને પોતાને સમજાય કે તમે જેની માટે આટલી મહેનત કરતાં હતા એ વસ્તુ વ્યક્તિ કે સંબંધ પાછળ ભાગતા હતા એ ખરેખર તો તમારા માટે યોગ્ય હતું જ નહી અથવા તો તમારું હતુ જ નહિ જે તમારા અંગત જીવન ને ડમાડોલ કરી નાખે એટલું વ્યર્થ હતુ. તમે ત્યારે કદાચ એવી પરિસ્થિતિ માં મુકાઈ જાવ કે એમાંથી નીકળવાનો રસ્તો ના મળે કે ના તેનો મોહ છૂટે આવી પરિસ્થિતિ માં એક અજ્ઞાત શક્તિ પર વિશ્વાસ કરી ને અને મન મક્કમ કરી ને તેનો ત્યાગ કરવો જ યોગ્ય છે. જો જીવન સુખમય પસાર કરવા માંગો છો તો આવા છુપા ધીમા જેર જેવાસબંધો વ્યક્તિ કે વસ્તુ નો મોહ છોડવો એ જ તમારા માટે સર્વોત્તમ છે.