સાગર ના જળ જેવું ખાનદાન અને ઈમાનદાર
દુનિયામાં બીજું કોઈ નથી "આર્ય "
કારણ રવીના તેજ થકી જળ તપીને વરાળ બંને એ વરાળ નું વાદળ બધાય અને પછી તપતી ધરા પર વરશી પડે અને નદી નાળા છલકાય અને પાછુ પોતાના અસ્તિત્વ માં સમાઈ જાય.
આખી અવની અને અવની પર વસતા જીવો, ઝાડ, પશુ, પક્ષીઓ, 84 લાખ યોનીઓ માં વસતા સજીવો ની મદદ કરીને પાછુ પોતાના અસ્તિત્વ માં સમાઈ જવુ બહુ અઘરું છે. આપણે કોઈ એક વ્યક્તિ ને પારલે બિસ્કિટ લઇ આપીએ તો પણ ફુલાઈ જઈએ કે મેં મદદ કરી. 84 લાખ જીવો ની મદદ કરીને જળ પાછુ નિજ અસ્તિત્વ માં સમાઈ જાય એની ખાનદાની કેવી હશે. એટલે સાગર ખારો છે છતાંય એના સંતાન ને આપણે મીઠું કહેવું પડે.
જે 84 લાખ જીવોનાં કલ્યાણ માટે પોતાને સૂર્યની અગનજ્વાળા માં તપાવે એના વખાણ "આર્ય" એકલો કેમ કરી ગાવે.
લી. "આર્ય "