દયાવાન હોવાનો દેખાવ શું કામ કરે છે
માનવતા તારા હૈયામાં હોવી જોઈએ
ચહેરાનું શું છે? શિયાળામાં ગોરા ઉનાળામાં કાળા પડી જવાય છે
સુંદરતા તારા વર્તન,વિચાર અને વાણીમાં હોવી જોઈએ
હરિનું નામ ના લે..તું હરીનેય ઠગે છે
પારકી પંચાત કરવામાં તને ક્યાં કોઈ પૂગે છે
કડવાશ માં તમે કારેલા ને કોઈ દિવસ જીતવા નથી દીધા
તો પછી આમ મોઢે મીઠડાં બનીને શું કામ ફરો છો