પ્રગતિનો ગ્રાફ ઉપર લઈ જવો એ દરેક વ્યક્તિનું મુખ્ય કામ પણ છે, સપનું પણ હોય છે, અને જવાબદારી પણ...પરંતુ જો એ ગ્રાફ ઉપર લઈ જવામાં શાંતિ અને સંતોષનો ગ્રાફ જો નીચે જઈ રહ્યો હોય, તો પછી એવી પ્રગતિ કોઈ જ કામની ના કહેવાય, કેમકે અંતે તો જીવનમાં શાંતિ અને સંતોષ જ આપણને અંદરથી ખુશ રાખી શકે છે, અને એનો પાયો પ્રગતિના પહેલા પગથિયા પરથી નાખવો પડે છે, બાકી હું એકવાર આર્થિક રીતે સમૃધ્ધ થઈ જાઉં, પછી તો જીવનમાં શાંતિ જ શાંતિ રહેશે, આ વાત કે વિચાર અતિશય ભ્રમથી ભરેલો છે, અને જ્યારે એ ભ્રમ તૂટે છે, ત્યારે અઢળક ભેગી કરેલી મિલ્કત કે રૂપિયો પૈસો કશું જ કામ નથી આવતું, અને વહેલો કે મોડો, એકના એક દિવસ એ ભ્રમ તૂટશે જ,
એ વાતમાં કોઈ મીન મેખ નથી.