Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવી હસ્તરેખામાં છુપાયો હોય છે ધનવાન બનવાનો રસ્તો, ઓળખો અને સફળ થાઓ

આપણે હંમેશા લોકોએ કહેતા સાંભળ્યા છે કે હથેળીની રેખાઓથી વ્યક્તિના ભાગ્યની જાણકારી મળી જાય છે. જોકે આ સત્ય છે કે હથેળીની રેખાઓ ક્યારે પણ ખોટુ બોલતી નથી. હાલના આધુનિક યુગમાં દરેક વ્યક્તિને અમીર બનવાની ઇચ્છા હોય છે. અને તેમના હાથની રેખાઓ એ વાત જણાવે છે કે તે વ્યક્તિના જીવનમાં ધનલાભ લખ્યો છે તો તે વ્યક્તિને એ જાણવાની ઉત્સુક્તા રહે છે કે શું તેની હથેળીની રેખાઓ સેનો ઇશારો કરે છે.

ઉલ્લેખનિય છે કે આપણી હથેળીમાં જીવન રેખા, હૃદય રેખા, મસ્તિષ્ક રેખા, વિવાહ રેખા જેવી અનેક રેખાઓ હોય છે. પરંતુ હસ્તરેખા જ્યોતિષમાં સૌથી મહત્વનીભાગ્ય રેખા ગણાય છે. કારણ કે તેના પરથી જ જાણી શકાય છે કે વ્યક્તિ કેટલી ભાગ્યશાળી છે અને કેવું જીવન તે વ્યતિત કરશે.

આમ તો હસ્તરેખા પરથી ભવિષ્ય ભાખવાનું કામ જ્યોતિષિ પાસે જ મોટા ભાગે લોકો કરાવતાં હોય છે. પરંતુ આજે અહીં દર્શાવેલી સરળ રીતની મદદથી તમે જાતે પણ જાણી શકશો કે તમે કેટલા ભાગ્યશાળી છો. ભાગ્યરેખા ચંદ્ર પર્વત પરથી શરૂ થતી હોય છે અને તે શનિ પર્વત તરફ જતી હોય છે. જો આ રેખા મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત સુધી તુટ્યા વિના પહોંચતી હોય તો આવી વ્યક્તિ અત્યંત ભાગ્યશાળી હોય છે. આવા લોકો જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.

જો ભાગ્ય રેખા જીવન રેખાથી શરૂ થતી હોય તો આવી વ્યક્તિ જાત મહેનતથી ધન કમાનાર હોય છે. જે લોકોના હાથમાં આ રેખા ચંદ્ર ક્ષેત્રમાંથી શરૂ થતી હોય તો તે અન્યને મદદ કરનાર અને દરેક કામમાં સફળતા મેળવનાર હોય છે. જો કોઈની ભાગ્ય રેખા અન્ય રેખાની સાથે સાથે જતી હોય તો તેના લગ્ન અત્યંત ધનવાન પરિવારમાં થાય છે. જો ભાગ્ય રેખા કોઈ સ્થળે જીવન રેખાને કાપતી હોય તો તે વ્યક્તિને તેના જીવનમાં કોઈ કલંકિત ઘટના બને છે. જો ભાગ્ય રેખા તુટક તુટક હોય તો તે વ્યક્તિ ભાગ્યહીન હોય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111312335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now