મહાશિવરાત્રિએ આ ઉપાય કરવાથી ગરીબ પણ બની જશે ધનવાન, શિવજી થશે મહેરબાન
શિવભક્તો માટે ભક્તિના મહાપર્વ સમાન મહાશિવરાત્રિની આ વર્ષે 21 ફેબ્રુઆરી શુક્રવારના રોજ કરવામાં આવશે. શાસ્ત્રોનુસાર આ તહેવારનો રાત્રિનો સમય અત્યંત ખાસ હોય છે કારણ કે આ પર્વ પર રાત્રિના સમયે ભગવાન શિવ સાક્ષાત બધા જ શિવલિંગમાં સંક્રમણ કરે છે. એટલા માટે જ મહાશિવરાત્રિએ દરેક શિવાલય મોડી રાત સુધી ખુલ્લા રહે છે અને મધ્ય રાત્રિએ મહાઆરતી કરવામાં આવે છે.
મહાશિવરાત્રિના દિવસે સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તો વિવિધ દ્રવ્યોથી શિવજીનો અભિષેક કરે છે અને ભોગમાં તેમને પ્રિય વસ્તુઓ ધરાવે છે. આ દિવસે જે પણ ભક્ત શ્રદ્ધાથી વ્રત તેમજ શિવપૂજા કરે છે કે શિવકૃપાનો પાત્ર બને છે. તેમાં પણ જો મહાશિવરાત્રિના દિવસે ભોળાનાથને પ્રિય કેટલીક વસ્તુઓ ઘરમાં સ્થાપિત કરો તો તમારા જીવનનો સુખદ સમય શરૂ થઈ જશે. તો ચાલો મહાશિવરાત્રિ પહેલાં જ જાણી લો કે આ વર્ષે ભોળાનાથની કૃપાદ્રષ્ટિનો લાભ કેવી રીતે લેવો.
કરો આ ઉપાય
ભગવાન શંકરને ભસ્મ પ્રિય છે. આજના દિવસે શંકર ભગવાનની પૂજા માટે ભસ્મનો ઉપયોગ અવશ્ય કરવો. રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરના અશ્રુઓમાંથી થઈ હતી. આ રુદ્રાક્ષ ઘરના મુખ્ય વ્યક્તિના રૂમમાં રાખવો જોઈએ. જો કે શિવરાત્રિના દિવસે રુદ્રાક્ષ સિદ્ધ કરીને ધારણ કરવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
ભોળાનાથની જટાઓમાંથી ગંગાજી ધરતી પર પધાર્યા હતા. આ પવિત્ર નદીનું જળ જો આજના દિવસે રસોડામાં રાખવામાં આવે તો પણ શિવકૃપા પ્રાપ્ત કરી શકાય છે.શિવરાત્રિ નિમિત્તે ઘરમાં ત્રાંબા અથવા ચાંદીનું ત્રિશૂલ રાખવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.
ઘરના મુખ્ય રૂમમાં એક ત્રાંબાના કળશમાં પાણી ભરીને રાખવું. તિજોરીમાં ચાંદીના નંદીની પ્રતિમા સ્થાપિત કરવી. આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ચાંદી અથવા ત્રાંબાના નાગ પધરાવવા, તેનાથી કાર્ય બાધા દૂર થાય છે.