Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો હથેળીમાં હોય અષ્ટલક્ષ્મીયોગ, તેના ઘરમાં ધનની થાય છે રેલમછેલ

જેવી રીતે જન્મ કુંડળીમાં ગ્રહો દ્વારા અનેક યોગનું નિર્માણ થાય છે, તેવી રીતે જ આપણા હાથમાં આવેલી અગણિત રેખાઓ, ચિહ્નો અને પર્વતથી પણ ખાસ પ્રકારના યોગ બને છે. આજે આવા જ ખાસ એવા અષ્ટ લક્ષ્મી યોગ વિશે જાણો અહિં….કેવી રીતે હથેળીમાં બને અષ્ટલક્ષ્મીયોગ…
અષ્ટલક્ષ્મી યોગ આ ચાર રેખાઓથી બને છે. હથેળીમાં આ ચાર રેખાઓ જો એકદમ સ્પષ્ટ અને ચોખ્ખી હોય તો તે અષ્ટલક્ષ્મીયોગનું નિર્માણ કરે છે. કઈ રેખા… વાંચો આગળ…

– જે વ્યક્તિના હાથમાં જીવન રેખા, સ્વાસ્થ્ય રેખા, ભાગ્ય રેખા તેમજ સૂર્ય રેખા સ્પષ્ટ તેમજ દ્રઢ હોય છે. તેનાથી અષ્ટ લક્ષ્મી યોગ બને છે.

– ભાગ્ય રેખા મણિબંધથી નીકળી અને શનિ પર્વત પર આવી અને તેના મધ્ય બિંદૂને સ્પર્શ કરતી હોય તેમજ સૂર્ય રેખા ચંદ્ર પર્વતથી પ્રારંભ થઈ અને સૂર્ય પર્વત નજીક આવતી હોય ત્યારે પણ અષ્ટ લક્ષ્મી યોગ બને છે.

– અષ્ટ લક્ષ્મી યોગવાળી વ્યક્તિ ધન, સંપત્તિનો માલિક હોય છે. આર્થિક દ્રષ્ટિથી તેમની પાસે કોઈ પ્રકારની ખામી નથી રહેતી. તેઓ તમામ પ્રકારના ભૌતિક સુખ પ્રાપ્ત કરે છે.

– આ યોગ ધરાવતા જાતક સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. આવા લોકો વિદેશ યાત્રાઓ પણ કરે છે.

– આ યોગવાળા વ્યક્તિ પાસે મકાન, જમીન, વાહન વગેરે હોય છે. આવા લોકો અત્યંત ભાગ્યશાળી હોય છે.

શાસ્ત્રોમાં લક્ષ્મીના આઠ સ્વરૂપનું વર્ણન મળે છે. લક્ષ્મીજીના આઠ સ્વરૂપ જીવનની આધારશિલા છે. આ સ્વરૂપ અલગ અલગ વર્ગો સાથે જોડાયેલા હોય છે. અષ્ટ લક્ષ્મી સાધનાનો ઉદ્દેશ જીવનમાં ધનના અભાવને દૂર કરે છે. તેની સાધનાથી ભક્ત કરજના ચક્રવ્યુહથી બહાર પણ આવી શકે છે. આયુષ્યમાં વૃદ્ધિ થાય છે, બુદ્ધિ અને સમૃદ્ધિમાં સતત વધારો થાય છે.

અષ્ટલક્ષ્મી યોગ માત્ર કુંડળીમાં જ થાય તેવું નથી. હાથની રેખાઓમાં પણ તે નિર્માણ પામે છે તેનું સચોટ પરિણામ મળે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111362022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now