ઘરમાં આ છોડ બનાવે છે દીર્ઘાયુ, આજે જ લગાવી દો
વાંસને આપણી સંસ્કૃતિમાં અતિ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ કન્યાના લગ્ન થાય છે તો વાંસનો બનેલો મંડપ ઉત્તમ માનવામાં આવે છે. તે દરેક પ્રકારે નવદંપતીને સુખી કરે છે તેવું માનવામાં આવે છે. જો છોડ ઘર આંગળમાં વાવવામાં આવે તો વ્યક્તિને દીર્ધાયુ બનાવે છે. સાથે સાથે સુખ સમૃદ્ધિ લાવી નકારાત્મક ઉર્જાને બહાર ફેંકી દે છે. તો ચાલો જાણીએ વાંસનો છોડ લગાવવાથી શા લાભ થાય તે વિશે…
ફેંગશૂઈ અનુસાર જો ઘરના પૂર્વ અને દક્ષિણ પૂર્વ કિનારે વાંસનો છોડ વાવવામાં આવે કે ઉછેરવામાં આવે તો વિશેષ લાભ મળે છે. એમ કરવાથી ધન અને સમૃદ્ધિ તેમજ લાંબા આયુષ્ય જેવા તમામ લાભની પ્રાપ્તિ થાય છે. તેથી ઘરમાં આ છોડ હોવો જોઈએ.
ફેગશૂઈ અનુસાર જો ઘરમાં વાંસનો છોડ લગાવવામાં આવે તો તેની સંખ્યાનું વિશેષ મહત્વ હોય છે. ચીની ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર વિષમ સંખ્યા વાળા (1..3…5…7.. વિગેરે) વાંસ ધરાવતા છોડ લગાવવા જોઈએ. 3 વાંસ ખુશીઓ માટે, 5 વાંસ ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે તેમજ 9 વાંસ ધરાવતો છોડ સૌભાગ્ય માટે શુભ માનવામાં આવે છે. આવા છોડને લાલ રીબીન અને કાચના જારમાં પાણી નાંખીને ઉછેરવાથી આ લાભો મળે છે.
જો વાંસના છોડને ઓફિસમાં ટેબલ પર લગાડવામાં આવે તો તે ટેબલની જમણી બાજુ રાખવો શુભ માનવામાં આવે છે.
જો બાળકો ભણવામાં નબળાં હોય તો બાળકોના રૂમમાં ટેબલ પર વાંસનો છોડ લગાવવો જોઈએ. તેનાથી બાળકોની એકાગ્રતા વધે છે. બાળકોને અંદરથી જ ભણવાનું મન થાય છે. તેનું સારું પરિણામ પ્રાપ્ત થાય છે.
જો તમે તમારા દાંપત્ય જીવનમમાં પોતાના સાથીનો પ્રેમ પામવા ઈચ્છતા હોય તો બેડરૂમમાં બે વાંસના છોડ રાખવા શુભ માનવામાં આવે છે.